ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ચોમાસું જામશે, આગામી 4 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા

Text To Speech

લાંબા સમયથી મેઘરાજાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. રથયાત્રા આવતા પહેલાં જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પધરામણી કરીને મેઘરાજા કાળઝાળ ગરમીથી છૂટકારો આપી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપી દેવામાં આવી છે.

આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મૂશળધાર વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં મન મૂકીને મેઘરાજા વરસશે. તો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં મેઘમહેર
જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વાવણી લાયક વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. જુનાગઢના વિસાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

બીજી તરફ વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભારે વરસાદ પડ્યો છે. નાનાકોટડા, વાજડી, રૂપાવટી, ઉમરાળા,જૂની ચાવંડ, શીરવાણીયા સહિત આસપાસના ગ્રામ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રોડ રસ્તાઓ પાણી પાણી થયા છે. જૂનાગઢ પંથકમાં ઠેર ઠેર વરસાદની સાથે ગિરનાર પર્વત પર પણ વરસાદી માહોલ જામ્યો છે.

સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં મન મૂકીને મેઘરાજા વરસશે. તો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

ગીરનારમાં સર્જાયા આહલાદક દ્રશ્યો
વરસાદને કારણે ગીરનાર પર્વતના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ નયનરમ્ય નજારો જોવા લોકો ગીરનાર તળેટીએ પહોંચ્યા છે. જિલ્લાના વિસાવદરમાં દોઢ કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી. તો શહેરના રસ્તાઓ પર વહેતી નદી જેવા વરસાદી પાણી વહેતા થયા.

Back to top button