ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

નર્મદામાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભે MLA ચૈતર વસાવાએ ગુજરાત સરકારની નવી શિક્ષણ નીતિ પર ઉઠાવ્યા સવાલ

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાત સરકારની નવી શિક્ષણ નીતિ પર ઉઠાવ્યા સવાલ:

  • 1 જુને જે બાળક 6 વર્ષ પૂર્ણ કરી 7 માં વર્ષમા પ્રવેશ કરે એને જ પેહલા ધોરણમાં પ્રવેશ મળે સરકારની આ નીતિ યોગ્ય નથી,
  • 5 વર્ષનું બાળક ઘરે બેસી રહી મોબાઈલ જોઈ પોતાનું મગજ બગાડે એના કરતા ભણે તો એનું ભવિષ્ય સારું બને,
  • અમે શાળા પ્રવેશોત્સવના સરકારના અભિગમની સરાહના કરીએ છીએ, પણ સરકાર શિક્ષકોની ઘટ પુરી કરે અને નવા ઓરડા પણ બનાવે,
  • નર્મદામાં પ્રવાસી શિક્ષકોને ઓછો પગાર મળતો હતો અને એ પણ 5 મહિના સુધી પગારથી વંચિત રખાતા હોવાથી પ્રવાસી શિક્ષકો નોકરી છોડી જતાં રહ્યા.

 ધારાસભ્ય ચૈતર વસાવા-humdekhengenews

વિશાલ મિસ્ત્રી રાજપીપલા: એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં 12/06/2023 થી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2023 નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ડેડીયાપાડા વિસ્તારની વિવિઘ શાળાઓમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા અગ્ર સચિવ મનીષ ભારદ્વાજ સાગબારા વિસ્તારની વિવિધ શાળાઓ, હાઉસિંગ કમિશનર આર.એસ.નિનામા અને ભાજપ સાંસદ ગીતાબેન રાઠવાએ તિલકવાડા વિસ્તારની વિવિધ શાળાઓ, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ મુકેશ પુરી અને નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે ગરુડેશ્વર વિસ્તારની વિવિધ આગંણવાડી-બાલવાટિકા અને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર બાળકોને પાટી, પેન, દફ્તર, પુસ્તકો એનાયત કરીને ઉત્સાહભેર પ્રવેશ કરાવ્યો હતો.

 ધારાસભ્ય ચૈતર વસાવા-humdekhengenews

ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી માંગ: સરકાર નવી શિક્ષણ નીતિ મુદ્દે ફેરવિચાણા કરે 

આ તમામની વચ્ચે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકારની નવી શિક્ષણ નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ એવી છે કે 1 જુને જે બાળક 6 વર્ષ પૂર્ણ કરી 7 માં વર્ષમા પ્રવેશ કરે એને જ પેહલા ધોરણમાં પ્રવેશ મળે છે. સરકારની આ જ શિક્ષણ નીતિને લીધે ડેડીયાપાડા-સાગબારાની શાળાઓમાં ખુબ ઓછી સંખ્યામાં બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. આજે 5 વર્ષનું બાળક ઘરે બેસી રહી મોબાઈલ જોઈ પોતાનું મગજ બગાડે એના કરતા ભણે તો એનું ભવિષ્ય સારું બને. 5 વર્ષનું બાળક શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય છે એટલે એમને પેહલા ધોરણમાં પ્રવેશ મળે એવી અમારી માંગ છે. સરકાર નવી શિક્ષણ નીતિ મુદ્દે ફેરવિચાણા કરે એવી ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગ કરી છે.

 ધારાસભ્ય ચૈતર વસાવા-humdekhengenews

નર્મદા જિલ્લામાં પ્રવાસી શિક્ષકોને 5 મહિના સુધી પગારથી રખાયા વંચિત:

ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમે શાળા પ્રવેશોત્સવના સરકારના અભિગમની સરાહના કરીએ છીએ, અમને એનો કોઈ વિરોધ નથી. પણ એની સાથે સાથે સરકાર ડેડીયાપાડા-સાગબારા વિસ્તારની 21 શાળાઓ સહિત ગુજરાતની વિવિધ શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતી કરે, જે શાળાઓમાં ઓરડા નથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસી અભ્યાસ કરે છે ત્યાં નવા ઓરડા પણ બનાવવા જોઈએ. આજે અધિકારીઓ કાગળ પર વિકાસના ઘોડાઓ દોડાવે છે અને જિલ્લાનું ફૂલગુલાબી ચિત્ર સરકારમાં રજુ કરે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું અમે નર્મદા જિલ્લામાં સ્વાગત કરીએ છીએ, અમને કોઈ વિરોધ નથી પરંતુ અમે એમની સાથે રૂબરૂ મુલાકાત કરી જિલ્લાની સ્થિતિથી વાકેફ કરવાના છે. નર્મદા જિલ્લામાં પ્રવાસી શિક્ષકોને ઓછો પગાર મળતો હતો અને એ પણ 5 મહિના સુધી પગારથી વંચિત રખાતા હોવાથી પ્રવાસી શિક્ષકો નોકરી છોડી જતાં રહ્યા છે. આમ આવા સળગતા સવાલો ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટકે તે પહેલા જાણો કેવી છે તૈયારી

Back to top button