ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

ગુજરાતના નાગરિકોને મંત્રી બલવંતસિંહ રાજપૂતે આપી ખાતરીઃ જાણો શું કહ્યું?

Text To Speech

ગાંધીનગર, 7 માર્ચ : વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વતી મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની અમારી ડબલ એન્જિનની સરકારે હરહંમેશ ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતના નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં અમારી સરકાર હંમેશા તેમની પડખે ઉભી રહી છે. આફતો સમયે નાગરિકોને થયેલા નુકસાન સામે SDRFના ધારા ધોરણો મુજબ તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં ૭૫ ટકા કેન્દ્ર સરકાર અને ૨૫ ટકા ફાળો રાજ્ય સરકારનો હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સંદર્ભે વધુ વિગતો આપતાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, ગત વર્ષ ૨૦૨૪માં ગુજરાતમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકશાન સામે ખેડૂતોને સહાય ચૂકવવામાં માટે SDRFમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને કુલ રૂ. ૧૩૩૩.૬૨ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ ૭૫ ટકા લેખે કુલ રૂ. ૫,૮૫૨.૮ કરોડ તેમજ ગુજરાત સરકારે ૨૫ ટકા લેખે કુલ રૂ. ૧,૯૪૯.૬ કરોડના ફંડની ફાળવણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કુદરતી આપત્તિઓ સમયે અસરગ્રસ્તોને માનવમૃત્યુ/માનવઇજા, કપડા અને ઘરવખરી સહાય, મકાન/ઝૂંપડા સહાય, ઘાસચારા સહાય, ખેડૂતોને પાક નુકશાન અને જમીન ધોવાણ સહાય, પશુ મૃત્યુ સહાય, દૈનિક રોકડ સહાય (કેશડોલ્સ ), માછીમારોની હોડી અને જાળીને થયેલ નુકશાન માટે, હસ્તકલા અને હાથશાળ કારીગરોને થયેલ નુકશાન માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા SDRFમાંથી આપવામાં આવે છે.

આ પણ વાંચો :- 10 ભારતીયોને પેલેસ્ટીની આતંકીઓના કબજામાંથી છોડાવવામાં આવ્યા

Back to top button