ટ્રેન્ડિંગદિવાળી 2024ધર્મ

ધનતેરસ પર બુધ કરશે ગોચર, ચાર રાશિઓનું ખુલશે ભાગ્ય, મળશે સફળતા

Text To Speech
  • ધનતેરસ પર ગ્રહોનો રાજકુમાર બુધ ગોચર કરશે. ધનતેરસ પર બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે શુક્ર સાથે મળીને લક્ષ્મી નારાયણ યોગ રચશે

HD ન્યુઝ ડેસ્કઃ ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર 2024, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે ધનતેરસ પર ગ્રહોનો રાજકુમાર બુધ ગોચર કરશે. ધનતેરસ પર બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે શુક્ર સાથે મળીને લક્ષ્મી નારાયણ યોગ રચશે. બુધના સંક્રમણની અસરથી સમગ્ર રાશિચક્ર પ્રભાવિત થશે, જેમાંથી 4 રાશિઓ એવી છે, જેને ધન લાભ થશે. જાણો કઈ છે એ લકી રાશિઓ

મિથુન (ક,છ,ઘ)

મિથુન રાશિના લોકો માટે બુધનું રાશિ પરિવર્તન શુભ રહેશે. આ લોકોને બિઝનેસમાં પહેલા કરતા વધુ ફાયદો થશે. વ્યવસાયમાં નવા સોદા થઈ શકે છે, જે ભવિષ્યમાં સારો નફો આપશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે.

સિંહ (મ,ટ)

સિંહ રાશિના લોકોના જીવનમાં બુધનું ગોચર શુભ અસર કરશે. આ સમયમાં નાણાંનું રોકાણ કરવું અનુકૂળ રહેશે. બીજી બાજુ આર્થિક સ્થિતિમાં પહેલાની સરખામણીમાં સુધારો જોવા મળશે. આ સમય દરમિયાન વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે આ સમય સારો છે.

ધનતેરસ પર બુધ કરશે ગોચર, ચાર રાશિઓનું ખુલશે ભાગ્ય, મળશે સફળતા hum dekhenge news

તુલા (ર,ત)

તુલા રાશિના જાતકોને બુધના ગોચરથી લાભ થવાનો છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઈન્ક્રિમેન્ટનો લાભ મળી શકે છે. લવ લાઈફમાં સુધારો થશે. લગ્નના પ્રસ્તાવો મળી શકે છે. વેપારમાં વિસ્તરણની પ્રબળ સંભાવના છે.

કુંભ (ગ,સ,શ,ષ)

કુંભ રાશિના જાતકોને ગ્રહોના રાજકુમારના રાશિ પરિવર્તનનો લાભ મળશે. આ લોકોના કેટલાક મહત્વપૂર્ણ કામ જે ઘણા સમયથી પેન્ડિંગ છે તે પૂર્ણ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરીની શોધ પણ પૂર્ણ થશે. વેપારમાં સારો નફો મેળવી શકશો.

આ પણ વાંચોઃ દિવાળી પહેલા ઘરમાંથી કાઢી નાખજો આ વસ્તુઓ, નહીં તો પૈસાની થશે તંગી

Back to top button