ટ્રેન્ડિંગયુટિલીટીવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ધ્રુવ પર પીગળતો બરફ આપણા દિવસોની લંબાઈ વધારી રહ્યો છે, જાણો કેમ?

કેલિફોર્નિયા, 30 માર્ચ : બરફ પીગળવાથી સમુદ્રમાં પાણીનું સ્તર વધે છે એટલું જ નહીં, પરંતુ આખા દિવસનો સમય પણ બદલાય છે. આ સમગ્ર વર્ષના સમયને પણ અસર કરે છે. એક આશ્ચર્યજનક વિજ્ઞાની અભ્યાસમાં આ વાત સામે આવી છે. ચાલો જાણીએ કે ધ્રુવો પર પીગળતો બરફ આપણા દિવસનો સમય કેવી રીતે બદલી રહ્યો છે?

વિશ્વ સતત ગરમ થઈ રહ્યું છે. ધ્રુવો પર જમા થયેલો બરફ ઝડપથી પીગળી રહ્યો છે. જે માત્ર સમુદ્રનું જ સ્તર નથી વધતું. પરંતુ, તેના કારણે આપણા દિવસનો સમય પણ બદલાઈ રહ્યો છે. જેથી, આખા વર્ષનો સમય બદલાઈ રહ્યો છે. આ બધા પાછળનું કારણ પેટ્રોલ, ડીઝલ, કોલસો અને અન્ય અશ્મિભૂત ઇંધણનો વધુ પડતો ઉપયોગ છે.

જો દિવસનો સમય થોડી સેકંડથી બદલાય છે તો માણસો ધ્યાન આપતા નથી. પરંતુ તેની ગણતરી કરવા માટે વિશ્વભરમાંથી 450 અત્યંત સચોટ અણુ ઘડિયાળોની જરૂર પડે છે. આ ઘડિયાળો સમગ્ર વિશ્વમાં સમયને સંતુલિત કરવા માટે બનાવવામાં આવી છે. જેને કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ (UTC) કહેવામાં આવે છે. જેની પ્રથમ વ્યાખ્યા 1969માં કરવામાં આવી હતી.

પૃથ્વી પર સમયની ગણતરી કરવાની પરંપરાગત રીત પૃથ્વીના પરિભ્રમણ પર નજર રાખવાની છે. પરંતુ પૃથ્વીના પરિભ્રમણમાં પણ તફાવત છે. તેથી, 1972માં યોગ્ય સમય જાણવા માટે સત્તાવાર સમયના ધોરણમાં 27 લીપ સેકન્ડ ઉમેરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ પીગળતા બરફના કારણે દિવસનો સમય વધી રહ્યો છે. આ આશ્ચર્યજનક છે.

પીગળતો બરફ દિવસનો સમય કેવી રીતે બદલે છે?

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ભૂસ્તરશાસ્ત્રી ડંકન એગ્ન્યુએ જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં બરફ સતત પીગળી રહ્યો છે. તેનું કારણ ગ્લોબલ વોર્મિંગ એટલે કે વધતું તાપમાન છે. જેના કારણે પૃથ્વીની ગતિવિધિ પર પણ અસર પડી રહી છે. અને તેથી દિવસનો સમય વધી રહ્યો છે. આ જથ્થો બહુ નાનો છે પણ અણુ ઘડિયાળ તેને પકડી લે છે.

એગ્ન્યુએ એક જર્નલમાં આ અહેવાલ પ્રકાશિત કર્યો છે . જેમાં કહેવામાં આવ્યું છે કે પીગળતો બરફ પૃથ્વીના કોણીય વેગને ઘટાડી રહ્યો છે. તેથી હવે નેગેટિવ લીપ સેકન્ડની જરૂર છે. અથવા એક સેકન્ડ છોડીને બીજી સેકન્ડ ઉમેરવાની જરૂર છે. વિજ્ઞાનીઓએ હવે આ ત્રણ વર્ષ પછી કરવાનું રહેશે, જે આ પહેલા કરવું જોઈતું હતું.

સમયના બદલાવને કારણે માનવીને સૌથી મોટી સમસ્યા કઈ છે?

અણુ ઘડિયાળમાં લીપ સેકન્ડને વધારવા અથવા ઘટાડવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે નેટવર્ક કમ્પ્યુટિંગ અને નાણાકીય બજારોને અપગ્રેડ કરવા પડશે. જેથી તે UTC મુજબ કામ કરી શકે. તેમને સચોટ અને પ્રમાણભૂત બનાવવું પડશે. કારણ કે નેગેટિવ લીપ સેકન્ડનો આ પહેલા ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી.

હવામાનશાસ્ત્રી પેટ્રિઝિયા તાવેલાએ જણાવ્યું હતું કે નકારાત્મક લીપ સેકન્ડ ક્યારેય ઉમેરવામાં આવ્યું નથી. તેમજ તેના માટે કોઈ ટેસ્ટ પણ કરવામાં આવ્યો નથી. તેથી, તે ચોક્કસ પણે જાણી શકાતું નથી કે આના કારણે કયા પ્રકારની સમસ્યાઓ થશે. તે કેવી રીતે ઠીક કરવામાં આવશે? પરંતુ અગ્ન્યુ કહે છે કે આના કારણે થયેલા વિલંબને પણ આવકારવો જોઈએ. જે પૃથ્વીને બચાવશે.

આ પણ વાંચો : ‘શિવ-શક્તિ’ એ બનાવી છે આપણી ગેલેક્સી, જર્મન વિજ્ઞાનીઓએ કર્યો ખુલાસો

Back to top button