ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ફરી મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ, ફરી શહેર જળબંબાકાર

Text To Speech

આ વર્ષે ચોમાસાની સિઝનમાં મેઘરાજા સંમગ્ર ગુજરાતમાં બઘરાટી બોલાવી રહ્યાં છે. સૌરાષ્ટ હોય કે મઘ્ય ગુજરાત, ઉતર ગુજરાત હોય કે દક્ષીણ ગુજરાત સંમગ્ર રાજ્યમાં જળ બંબાકારની સ્થિતી સજાર્ય હોય ત્યારે અમદાવામાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે ફરી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યોં છે.ધોધમાર વરસાદ ખાબક્તા સંમગ્ર શહેર તળબોર થઈ ગયું છે. ગુજરાતમાં જુલાઈમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી ગયો છે. હવે વરસાદનું જોર ઘટશે. ત્યાર બાદ ઓગસ્ટ મહિનામાં ફરી ચોમાસાનો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસની આગાહી બાદ વરસાદે વિરામ લીધો છે. તે ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માત્ર છુટાછવાયા ઝાપટાં પડવાની વકી છે.

અમદાવાદ શહેરમાં સાંજે એક કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં સરદારનગર, નોબલનગર, કોતરપુર વિસ્તારમાં 40 મિનિટમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે બોડકદેવ, એસજી હાઇવે, પકવાન, જજીસ બંગલો, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ઓઢવ, વિરાટનગર, કઠવાડા, નિકોલ, નરોડા, આશ્રમ રોડ, પાલડી, વાસણા, વાડજ, ઇન્કમટેકસ વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. બાકીના વિસ્તારમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં સાબરકાંઠાના ઈડરમાં 4 ઈંચ, પાટણના સરસ્વતિમાં સાડા ત્રણ ઈંચ, ભિલોડામાં સાડા ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ ઈંચ, સતલાસણા, ક્વાંટ, પાટણ, વાઘરા, સિદ્ધપુર, ખંભાત, પ્રાંતિજમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાધનપુર, ચાણસ્મા, પાલનપુર, કાંકરેજ, હિંમતનગર દિયોદરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય વડગામ, તારાપુર, ધાનેરા, અમરેલી, કલોલ, મહુધા અને અમિરગઢમાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છમાં 21 ઈંચ સાથે 117 ટકા, ઉત્તર ગુજરાતમાં 15 ઈંચ સાથે 55.77 ટકા, મધ્ય ગુજરાતમાં 19 ઈંચ સાથે 60 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 61.32 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 47 ઈંચ સાથે 81.92 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યની વાત કરીએ તો સરેરાશ 23 ઈંચ સાથે 69.22 ટકા વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: https://humdekhenge.in/more-than-900-cases-of-corona-in-gujarat-state-today/ગુજરાત રાજ્યમાં આજે કોરોનાનાં 900થી વધું કેસ

35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 33 જળાશયોમાં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 41 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 56 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યમાં 35 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 18 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 08 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 14 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Back to top button