ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલફૂડલાઈફસ્ટાઈલ

આ રાજ્યમાં 4 જૂન સુધી બંધ રહેશે માંસની દુકાનો! જાણો કારણ

Text To Speech
  • સિક્કિમ સરકારે બહાર પાડ્યુ જાહેરનામુ
  • માંસની દુકાનો પર હંગામી ધોરણે મુક્યો પ્રતિબંધ
  • શું છે કારણ? વાંચો આ અહેવાલ

સિક્કિમ સરકારે શનિવારે જણાવ્યું હતું કે તિબેટિયન લોકો દ્વારા મનાવવામાં આવતા બૌદ્ધ કેલેન્ડરનો પવિત્ર મહિનો ‘સાગા દાવા’ના કારણે રાજ્યમાં તમામ માંસની દુકાનો 4 જૂન સુધી બંધ રહેશે. ધર્મશાસ્ત્રીય વિભાગે કહ્યું કે સિક્કિમમાં ‘સાગા દાવા’ મહિનાને ધ્યાનમાં રાખીને, માંસની દુકાનો 27 મેથી 4 જૂનની વચ્ચે બંધ રાખવી જોઈએ.

sikkimcm-hdnews
સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રી ‘પ્રેમસિંહ તમાંગ’

ડિપાર્ટમેન્ટના નોટિફિકેશનમાં જણાવાયું છે કે લગ્ન સમારોહ, સામાજિક કાર્યો અને પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓને ખોરાક આપવાના સંબંધમાં અનિવાર્ય સંજોગોમાં જ બહારથી માંસની આયાત કરવાની પરવાનગી આપી શકાય છે. આ માટે ઓર્ડર આપનારાઓએ વિભાગ પાસેથી પૂર્વ પરવાનગી લેવી પડશે. જો કે, માછલીની દુકાનોને કોઈપણ નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

sagadawa-hsnews
‘સાગા દાવા’ તહેવારની ઉજવણી કરી રહેલા બૌદ્ધ ધર્મના લોકો

સરકારે જાહેર કરેલી નોટિફિકેશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ધાર્મિક ભાવનાઓને માન આપીને આ સમયગાળા દરમિયાન સ્વૈચ્છિક રીતે માછલીઓનું વેચાણ ન કરવું સારું રહેશે. સરકારના આ જાહેરનામા મુજબ, આદેશનું ઉલ્લંઘન કરનારાઓને 1000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.

આ પણ વાંચો: NIAના દરોડામાં મોટો ખુલાસો- ISISનું નેટવર્ક સક્રિય હતું, 2025 સુધીમાં ઇસ્લામિક દેશ બનાવવાનો હતો પ્લાન

Back to top button