મનીષ સિસોદિયા કેવી રીતે રહેશે તિહાર જેલમાં, જાણો- કેટલી વસ્તુઓ મળશે જેલમાં ?


દારુ કૌભાંડમાં CBIની કસ્ટડીમાં રહેલા દિલ્હીના પૂર્વ સીએમ મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અગાઉ,
CBIએ કોર્ટને કહ્યું હતું કે હવે તેમને AAPના વરિષ્ઠ નેતા સિસોદિયાની કસ્ટડીની જરૂર નથી. સિસોદિયાની CBI દ્વારા રાજ્યમાં દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. AAPએ મનીષ સિસોદિયાની ધરપકડનો જોરદાર વિરોધ કર્યો હતો. આટલું જ નહીં 8 પાર્ટીઓના નેતાઓએ PM નરેન્દ્ર મોદીને સરકારી એજન્સીઓના દુરુપયોગ સામે પત્ર લખ્યો હતો.
#WATCH | Delhi: Former Deputy CM and AAP leader Manish Sisodia was taken to Tihar jail. He was sent to judicial custody till March 20, in the case pertaining to the Delhi excise policy case. pic.twitter.com/z7cmGGObw3
— ANI (@ANI) March 6, 2023
CBIએ રિમાન્ડની માંગણી કરી નથી
સિસોદિયાને વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. AAP નેતાને પહેલા પાંચ દિવસ અને બાદમાં બે દિવસ માટે પૂછપરછ માટે CBI કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા. આ મુદત પૂરી થયા બાદ આજે સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં, CBIના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તપાસ એજન્સી હાલમાં AAP નેતાની કસ્ટડીની માંગ કરી રહી નથી, પરંતુ જો જરૂર પડશે તો પછીથી કસ્ટડી માંગી શકે છે.
Unless bail is decided, Court has no option but to extend judicial custody. Today CBI had no questions for which they would've sought Manish Sisodia's interrogation…Bail hearing is on March 10 when it'll be decided if he gets bail or his custody is extended: Saurabh Bharadwaj pic.twitter.com/MuLjHaNzHC
— ANI (@ANI) March 6, 2023
સિસોદિયા 20 માર્ચ સુધી જેલમાં રહેશે
CBIએ AAP સમર્થકો પર કેસનું ‘રાજકીયકરણ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે કહ્યું, ‘આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. એવી દલીલ કરવામાં આવી છે કે હવે CBI કસ્ટડીની જરૂર નથી અને જરૂર પડ્યે પછીથી માંગી શકાય છે. આ દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
સિસોદિયાને આ વસ્તુઓ જેલમાં મળશે
સિસોદિયાને ભગવદ ગીતા, ચશ્મા, દવા વગેરે જેલમાં લઈ જવાની મંજૂરી આપી અને તિહાર જેલના સત્તાવાળાઓને વિપશ્યનાની મંજૂરી આપવાની તેમની વિનંતી પર વિચાર કરવા નિર્દેશ આપ્યો. CBIએ ગયા અઠવાડિયે સિસોદિયાની 2021-22ની દારૂની નીતિની ઘડવા અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર મુદ્દે ધરપકડ કરી હતી, જોકે હવે નીતિને રદ કરવામાં આવી છે.