ઉત્તર ગુજરાતગુજરાત

યાત્રાધામ અંબાજીમાં શરદપૂનમના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, રાત્રે 30 હજાર દીવડાની મહાઆરતી

Text To Speech

અંબાજી મંદિરમાં શરદપૂનમનેના દિવસે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવે છે જેનો લાભ લેવા આજે દૂર દૂરથી માઈ ભક્તો આવિ પહોંચ્યા હતા અને મંગળા આરતીના દર્શન કર્યા હતા. આજના શરદપૂર્ણીમાંના દિવસે મંગળા આરતીનો વિશેષ લાભ લેવા શ્રદ્ધાળુઓ આવી પહોચતા હોય છે તેમજ મંદિર પરિસરમાં દૂધ પૌવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે પણ અંબાજીમાં રાત્રે 12 વાગ્યે વાગે દૂધ પૌવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

AMBAJI- HUM DEKHENEG
અંબાજીમાં દર શરદપૂર્ણીમાએ મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે.

મંગળા આરતીનો લાભ લેવા માઈ ભક્તો ઉમટ્યા

શરદપૂર્ણિમાની વહેલી સુમારે 6 વાગે મંગળા આરતી કરવામા આવતી હોય છે, જેમાં ભક્તો મા અંબાના દર્શન કરવા માટે આવતા હોય છે. શરદપૂનમની આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે. ભક્તોના અનેરા આનંદ સાથે મા અંબાની આરતી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે અંબાજીમાં વહેલી સવારે શરદપૂનમની મંગળા આરતી કરવામાં આવી હતી જે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. તેમજ અંબાજીમાં દર શરદપૂર્ણીમાએ મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે.

AMBAJI- HUMDEKHENEG
મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

રાત્રે 30 હજાર દીવડાની મહાઆરતી

આજે શરદપૂર્ણિમાને લઇને અંબાજી મંદિરમાં દુધ પૌઆ ધરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ માટે રાત્રીનાં 12 કલાકે માતાજીની આરતી કરાશે. આ સાથે જ શરદપૂનમ હોવાને કારણે માતાજીનાં ચાચર ચોકમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આ સાથે જ મા અંબાના ચાચર ચોકમાં સાંજે 30 હજાર દીવડાની મહાઆરતી પણ કરવામાં આવશે.

શરદપૂનમનું વિશેષ મહત્વ

ભક્તોમાં શરદપૂનમનું વિશેષ મહત્વ હોય છે, આ દિવસે ઘણા ભક્તો મા અંબાનો ઉપવાસ પણ રાખતા હોય છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આસો વદ પૂનમ એટલે શરદ પૂનમ ગણાય છે. આ દિવસે ચંદ્રમા પૃથ્વીની સૌથી નજીક હોય છે. જ્યારે હિંદુ શાસ્ત્ર પ્રમાણે લક્ષ્મીજીની આરાધના અને તેમને પ્રશન્ન કરવામાં આ સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.

આ પણ વાંચો: બનાસકાંઠા : અંબાજી ખાતે શરદોત્સવ યોજાશે, મહાઆરતીમાં 30 હજારલોકો દીવડા લઈ ભાગ લેશે

Back to top button