ટ્રેન્ડિંગમનોરંજન

મલ્લિકા શેરાવતના જન્મને બોજ સમજતા હતા માતા-પિતાઃ બોલ્ડ અભિનેત્રીએ વ્યક્ત કર્યુ દુઃખ

  • મલ્લિકા શેરાવત બાળપણમાં પોતાના જ પરિવારમાં જ ભેદભાવનો ભોગ બની હતી, તેણે માતા-પિતાના વાણી-વિચાર અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું હતુ

HD ન્યુઝ ડેસ્કઃ મલ્લિકા શેરાવત હાલમાં લાઈમલાઈટમાં છે. તાજેતરમાં તેની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ રીલીઝ થઈ છે. 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી અભિનીત આ ફિલ્મમાં મલ્લિકા શેરાવત પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી રહી છે. ફિલ્મ ‘મર્ડર’થી પ્રખ્યાત બનેલી મલ્લિકાએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેને બાળપણમાં પોતાના જ પરિવારમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે પરિવારમાં કોઈ પણ તેના જન્મથી ખુશ નહોતું, કારણ કે પરિવારને પુત્ર જોઈતો હતો.

મલ્લિકાએ વ્યક્ત કર્યુ દુઃખ

એક ઈન્ટરવ્યુમાં મલ્લિકા શેરાવતે પિતૃસત્તા અને પરિવાર તરફથી સમર્થન ન મળવાની વાત કરી હતી. તેણે કહ્યું કે મારા માતા-પિતા મારી અને મારા ભાઈ વચ્ચે ઘણો ભેદભાવ રાખતા હતા. જ્યારે હું મોટી થતી ગઈ ત્યારે મને ખૂબ જ દુઃખ થતું હતું કે મારા માતા-પિતા મારી સાથે આટલો ભેદભાવ કેમ કરે છે. હું બાળપણમાં એ વાત સમજી શકતી ન હતી, પરંતુ આજે સમજી શકું છું.

મલ્લિકા શેરાવતના જન્મને બોજ સમજતા હતા માતા-પિતાઃ બોલ્ડ અભિનેત્રીએ વ્યક્ત કર્યુ દુઃખ hum dekhenge news

દિકરીને બોજ સમજતા હતા માતા-પિતા

મલ્લિકાએ માતા-પિતાની વિચારસરણી વિશે કહ્યું કે મારા ભાઈ વિશે મારા પેરેન્ટ્સ વિચારતા હતા કે તે એક છોકરો છે, તેને વિદેશ મોકલો, તેને ભણાવો, તેનામાં પૈસા લગાવો. પરિવારની તમામ મિલકત પુત્ર અને પૌત્રને જશે. છોકરીઓ તો શું? લગ્ન કરીને જતી રહેશે. તે તો માતા પિતા પર બોજ છે. તેણે આગળ કહ્યું કે મને આ વિચારીને ખૂબ ખરાબ લાગ્યું, પરંતુ પછી મને ખબર પડી કે માત્ર હું જ નહીં, મારા ગામની તમામ છોકરીઓ આવા ભેદભાવ અને અન્યાયમાંથી પસાર થઈ રહી છે.

મારા માતા-પિતાએ મને બધું જ આપ્યું. સારું શિક્ષણ, સારો ઉછેર, પરંતુ તેમની પાસે ખુલ્લી માનસિકતા કે સારા વિચારો નહોતા. તેઓએ મને સ્વતંત્રતા આપી નથી. તેમણે મારો ઉછેર ભલે કર્યો, પરંતુ મને સમજવાનો પ્રયત્ન કર્યો નથી. હું રમતો પણ છુપાઈને રમતી હતી કેમકે મારો પરિવાર મને તેની પણ પરવાનગી આપતો ન હતો. તેઓ મને કહેતા કે આવું જ કર્યા કરશો તો લગ્ન કોણ કરશે તારી સાથે?’ મારા પર ઘણા પ્રતિબંધો હતા. મારો જન્મ થયો ત્યારે મારા પરિવારમાં શોકનો માહોલ હતો.

આ પણ વાંચોઃ વિજયાદશમી પર ‘ગદર’ના ડિરેક્ટરે ફિલ્મ ‘વનવાસ’ની કરી જાહેરાત, કેવી હશે સ્ટોરી? જાણો

Back to top button