ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NEET પેપર લીક મામલે CBIની મોટી કાર્યવાહી, હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ

રાંચી, 26 જૂન : NEET-UG પરીક્ષા પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી ચાલુ છે. હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ એહસાનુલ હકને સીબીઆઈ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સીબીઆઈની ટીમ એહસાનુલ હક સાથે રાંચી જવા રવાના થઈ ગઈ છે. સીબીઆઈની ટીમ તેમને રાંચીથી પટના લઈ જઈ શકે છે. એહસાનુલ હક સીબીઆઈના સવાલોના સંતોષકારક જવાબો આપી શક્યા ન હતા, જેના પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આજે સવારે સીબીઆઈએ એહસાનુલ હકના ઘરે અને પછી શાળામાં કલાકો સુધી પૂછપરછ કરી. સીબીઆઈએ એહસાનુલની ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે અને તેને પોતાની સાથે લઈ ગયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 24 જૂન, સોમવારે સત્તાવાર રીતે તપાસ એજન્સીને સોંપવામાં આવ્યા બાદ સીબીઆઈની ટીમે આચાર્યના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ઝારખંડ પહોંચેલી ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ (EOU) ની ટીમ પહેલા SBI બેંકમાં ગઈ, ત્યારબાદ તેઓએ ઓએસિસ સ્કૂલના આચાર્ય અને NEET પરીક્ષાના જિલ્લા સંયોજક ડૉ. એહસાનુલ હકની પૂછપરછ કરી.

પ્રિન્સિપાલ એહસાનુલ હકે કહ્યું હતું કે 5 મેના રોજ પરીક્ષાના દિવસે પ્રશ્નપત્રો ધરાવતા બોક્સ પરનું ડિજિટલ લોક નિર્ધારિત સમયે ખુલ્યું ન હતું. બોક્સને કટર વડે ખોલવું પડ્યું. એક બોક્સ મેન્યુઅલ લોક સાથે આવે છે, જ્યારે બીજો ડિજિટલ લોક સાથે આવે છે. મેન્યુઅલી લૉક કરેલા બૉક્સ માટે ચાવી અને કટર હોય છે.

ડિજિટલ લોક જે કટર વડે કાપવામાં આવ્યું હતું

ડિજીટલ લોક કરેલ બોક્સ પરીક્ષાના 45 મિનિટ પહેલા આપોઆપ ખુલી જવુ જોઈએ. જો કે, તે દિવસે અહીં આવું બન્યું ન હતું. ત્યારબાદ હકે સૂચનો માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)નો સંપર્ક કર્યો અને તેમને કટર વડે ડિજિટલ લોક કાપવાનું કહેવામાં આવ્યું, બીજી તરફ, હકે દાવો કર્યો હતો કે તેમને 5 મેના રોજ સવારે 1 વાગ્યે મેઈલ દ્વારા જાણ થઇ હતી કે, પરીક્ષાના પેપર ધરાવતા નવ બોક્સ બે ચોક્કસ બેંકોમાં રાખવામાં આવ્યા હતા.તેમણે કહ્યું હતું કે સવારે 7.30 વાગ્યે પ્રશ્નપત્રો વાળા એલ્યુમિનિયમ બોક્સવાળા નવ કાર્ડબોર્ડ બોક્સ, પાંચ કેન્દ્ર અધિક્ષક અને પાંચ નિરીક્ષકોને આપવામાં આવ્યા હતા.

ટ્રાન્સપોર્ટ કંપની પણ હવે શંકાના દાયરામાં છે

અગાઉ, હકે લીક મામલામાં તેમની શાળાને સામેલ કરવાના દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તમામ પ્રક્રિયાઓનું તેમના દ્વારા સખત પાલન કરવામાં આવે છે. તેમણે NEET પરીક્ષા સામગ્રીને સુરક્ષિત રાખવા અને કોઈપણ સંભવિત ઉલ્લંઘનને રોકવા માટે લેવામાં આવેલા કડક પગલાં પર ભાર મૂક્યો હતો. આ ખાતરીઓ છતાં, પરીક્ષા પેપરો પહોંચાડવા માટે જવાબદાર ટ્રાન્સપોર્ટ કંપની હવે શંકાના દાયરામાં છે અને ઉલ્લંઘનના ચોક્કસ મુદ્દા અને રીતને શોધવા માટે તપાસ ચાલી રહી છે.

Back to top button