ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ગાયને રાજ્યમાતાનો દરજ્જો’ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા શિંદે સરકારનો મોટો નિર્ણય

Text To Speech
  • મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠક યોજાઈ, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

મુંબઈ, 30 સપ્ટેમ્બર: મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે આજે સોમવારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગાયને રાજ્યની માતાનો દરજ્જો આપ્યો છે. મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે આ આદેશ જારી કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય આપતાં સરકારે કહ્યું કે, વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયની સ્થિતિ, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગીતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ અને જૈવિક ખેતી પ્રણાલીઓમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્ત્વના સ્થાનને ધ્યાનમાં રાખીને હવેથી દેશી ગાયોને ‘રાજ્યમાતા ગોમાતા’ તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

બે દિવસ પહેલા ECની ટીમે લીધી હતી મુલાકાત

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી પંચની ટીમ 28 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય પ્રવાસ પર મહારાષ્ટ્ર પહોંચી હતી. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી પંચની ટીમે અનેક રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠકો કરી હતી. ચૂંટણી પંચે કહ્યું કે, મહારાષ્ટ્રમાં 26મી નવેમ્બર પહેલા ચૂંટણી યોજવી પડશે, કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે.

ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી

મહારાષ્ટ્રની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણીની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે તમામ રાજકીય પક્ષોની બેઠક થઈ હતી. તમામ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અમે તેને ઘણી સૂચનાઓ આપી છે.

આ પણ જૂઓ: ભગવાનને રાજકારણથી દૂર રાખો: તિરુપતિ પ્રસાદ વિવાદ પર SCની ટિપ્પણી

Back to top button