ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર: શિવસેના શિંદે જૂથના નેતાની હત્યા, મૃતદેહ ગુજરાતમાંથી મળતા સનસનાટી ફેલાઈ

Text To Speech

પાલઘર, 1 ફેબ્રુઆરી 2025: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના શિવસેના (શિંદે જૂથ)ના નેતા અશોક ધોડી ગુમ થવાના 12 દિવસ બાદ તેમનો મૃતદેહ મળ્યો છે. ગુજરાતના ભિલાડ નજીક સરિગામમાં એક બંધ પડેલી પથ્થરની ખાણામાં તેમની કાર સહિત લાશ મળતા ખળભળાટ મચી ગયો છે. ડહાણી તાલુકા વિધાનસભા સંઘટક અશોક ધોડીનું અપહરણ કરી હત્યા કરવાનો મામલો 31 જાન્યુઆરીએ સામે આવ્યો હતો.

હત્યામાં નજીકના લોકોનો હાથ

તેઓ 12 દિવસથી ગુમ હતા અને અંતત: તેમનો મૃતદેહ ગુજરાતના સરિગામમાં તેમની કારના પાછળના ભાગમાં દોરડાથી બાંધેલી હાલતમાં મળી હતી. તેમના ભાઈ અવિનાશ ધોડી પોલીસ ધરપકડમાંથી ફરાર થવાના કારણે પારિવારિક વિવાદના કારણે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તપાસ દરમ્યાન આ ચોકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે કે આ ગુન્હા પાછળ મૃતકના સગા ભાઈ અથવા કોઈ નજીકના પરિવારનો જ હાથ હોઈ શકે છે. પોલીસે ત્રણ સંદિગ્ધોની ધરપકડ કરી તપાસ શરુ કરી દીધી છે. પણ અવિનાશ અને એક અન્ય આરોપી ફરાર છે, તેના કારણે આશંકા વધી ગઈ છે કે અશોક ધોડી હત્યાના કાવતરામાં સામેલ છે.

કારની પાછળની સીટ પર દોરડાથી બાંધેલી મળી લાશ

ધરપકડ થયેલા સંદિગ્ધોની સૂચનાના આધાર પર 12 દિવસ બાદ પોલીસને અશોક ધોડીનો મૃતદેહ મળ્યો. તેમનો મૃતદેહ ગુજરાતના સરિગામમાં તેમના વાહનમાંથી મળ્યો, જે પાછળની સીટ પર દોરડા વડે બાંધેલી હતી. આ ઘટના બાદ આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે, ક્રેનની મદદથી ખાણમાંથી મૃતક અશોકની બ્રેઝા કારને કાઢવામાં આવી હતી. અશોક ધોડીની પરિવાર દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી રહ્યો છે.

આ પણ વાંચો: Budget 2025 : કોણે અને ક્યારે આપ્યું હતું પ્રથમ બજેટ, શું તમે જાણો છો તેનો રસપ્રદ ઈતિહાસ

Back to top button