ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભમાં દુનિયાનો સૌથી મોટો ટ્રાફિક જામ: શ્રદ્ધાળુઓ માટે જાહેર કરી એડવાઈઝરી, આ વાંચીને પછી જવાનો પ્લાન બનાવજો

પ્રયાગરાજ, 10 ફેબ્રુઆરી 2025: પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. રવિવારે આ ભીડ એટલી વધી ગઈ હતી કે, 20 મિનિટનો રસ્તો કાપવા માટે તમારે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે. પ્રયાગરાજમાં રવિવારે મહાકુંભ મેળાના તમામ માર્ગો પર કેટલાય કિમી સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. સ્થિતિ એવી થઈ કે, પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું હતું. મેળા પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 13 જાન્યુઆરીથી લઈને નવ ફેબ્રુઆરી સુધી 43.57 કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ સંગમમાં ડુબકી લગાવી છે.

ભીડના કારણે પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ

વરિષ્ઠ મંડલીય વાણિજ્યિક પ્રબંધક, લખનઉ કુલદીપ તિવારીએ કહ્યું કે, કેમ કે પ્રયાગરાજ સંગમ સ્ટેશન બહાર ભારે ભીડ હોવાના કારણે યાત્રીઓને સ્ટેશન બહાર કાઢવામાં તકલીફ આવી રહી છે. ત્યારે આવા સમયે પ્રયાગરાજ સંગમ સ્ટેશનને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે યાત્રીઓને પોતાની ટ્રેન પકડવા માટે પ્રયાગરાજ જંક્શન જવાનું રહેશે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, ભીડને કાબૂમાં કર્યા બાદ સ્ટેશનને ફરીથી ખોલવામાં આવશે. પ્રશાસને યાત્રીઓને નિર્દેશોનું પાલન કરવા માટે અપીલ કરી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે વધારાની ટ્રેનો ચલાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

રેલવેએ કરી છે ખાસ વ્યવસ્થા

ઉત્તર મધ્ય રેલવેએ મહાકુંભ 2025માં આવતા શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા પ્રયાગરાજ જંક્શન સ્ટેશન પર અગ્નિમ આદેશ સુધી એકલ દિશામાં અવરજવર ચાલું કરી છે. ઉત્તર મધ્ય રેલવેના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી અમિત માલવીયે આ જાણકારી આપી છે.

યાત્રીઓની સુરક્ષા અને સુગમતા માટે પ્રવેશ ફક્ત શહેર તરફ પ્લેટફોર્મ નંબર તરફ આપવામાં આવ્યું છે અને એક્ઝિટ ફક્ત સિવિલ લાઈન્સ તરફ હશે.

અનારક્ષિત ટિકિટવાળા મુસાફરોને દિશાવાર યાત્રી આશ્રય તરફથી પ્રવેશ આપવામાં આવશે.

ટિકિટની વ્યવસ્થા યાત્રી આશ્રયોમાં અનારક્ષિત ટિકિટ કાઉંટર, એટીવીએમ અને મોબાઈલ ટિકિટિંગ તરીકે રહેશે.

આ જ પ્રકારે આરક્ષિત ટિકિટવાળા મુસાફરોને પ્રવેશ ગેટ નંબર પાંચથી આપવામાં આવશે અને તેમને ટ્રેન આવતા અડધા કલાક પહેલા પ્લેટફોર્મ પર જવાની પરવાનગી મળશે.

આ પણ વાંચો: ભયંકર ટ્રાફિક જામ: મહાકુંભ છોડો પ્રયાગરાજ પહોંચવાનું પણ મુશ્કેલ, દર કલાકે 40 હજાર વાહનોની એન્ટ્રી

Back to top button