ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભમાં આજે ડુબકી લગાવશે પીએમ મોદી, 11 વાગ્યે સંગમમાં સ્નાન કરશે, પ્રયાગરાજમાં પ્રોટોકોલ લાગૂ થયો

Text To Speech

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ તો વળી 11 વાગ્યે સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે. સ્નાન બાદ પ્રધાનમંત્રી સંગમ તટ પર ગંગાની પૂજા કરી દેશવાસીઓની કુશળતાની કામના કરશે. અહીં ઉલ્લેખનિય છે કે પીએમ મોદીની સંગમ મુલાકાત લગભગ 2 કલાકની રહેશે.

સવારે 11વાગ્યે સાડા અગિયાર વાગ્યા સુધી પીએમ મોદી માટે આરક્ષિત છે. મહાકુંભમાં પીએમ મોદીના પ્રવાસને લઈને ખાસ તૈયારીઓ કાલથી શરુ થઈ ચુકી છે. સંગમ ઘાટથી લઈને પ્રયાગરાજના રસ્તા પર સિક્યોરિટી પ્રોટોકોલ લાગૂ થઈ ચુક્યા છે.

મહાકુંભ 2025 13 જાન્યુઆરી, પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે. પીએમઓએ જણાવ્યું હતું કે મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જે વિશ્વભરના ભક્તોને આકર્ષે છે. પીએમઓએ જણાવ્યું હતું કે ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન અને જાળવણી કરવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રીએ તીર્થસ્થળો પર માળખાગત સુવિધાઓ અને સુવિધાઓ વધારવા માટે સતત સક્રિય પગલાં લીધાં છે.

પ્રધાનમંત્રીએ આજની તારીખ કેમ પસંદ કરી, શું માન્યતા છે?

પીએમ મોદી આજે માઘ મહિનાની અષ્ટમી તિથિના શુભ મુહૂર્ત દરમિયાન ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવશે. હિન્દુ કેલેન્ડર મુજબ, 5 ફેબ્રુઆરી એ માઘ મહિનાની ગુપ્ત નવરાત્રીની અષ્ટમી તિથિ છે, જે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તપસ્યા, ધ્યાન અને આધ્યાત્મિક સાધના અત્યંત ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તપસ્યા, ધ્યાન અને સ્નાન કરનારાઓની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત, આ દિવસને ભીષ્માષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાભારત દરમિયાન, ભીષ્મ પિતામહ બાણની શય્યા પર સૂતા હતા અને સૂર્ય ઉત્તર તરફ જાય અને શુક્લ પક્ષની રાહ જોતા હતા. માઘ મહિનાની અષ્ટમી તિથિએ, તેમણે શ્રી કૃષ્ણની હાજરીમાં પોતાનો જીવ આપ્યો, જેના પછી તેમને મોક્ષ પ્રાપ્ત થયો.

આ પણ વાંચો: Delhi Assembly election 2025: દિલ્હીમાં કોની બનશે સરકાર? 699 ઉમેદવાર અજમાવી રહ્યા છે પોતાનું ભાગ્ય

Back to top button