કોંગ્રેસના મહિલા નેત્રીએ પરશુરામને ઔરંગઝેબથી વધારે ક્રૂર ગણાવ્યા, હોબાળો થતાં જાહેરમાં આવી માફી માગી


જબલપુર, 18 માર્ચ 2025: સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ વાયરલ કરવા પર પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષે જાહેરમાં માફી માગી છે. કોંગ્રેસના પૂર્વ મહિલા નગર અધ્યક્ષે સોશિયલ મીડિયામાં ભગવાન પરશુરામની તુલના ઔરંગઝેબ સાથે કરતા ભારે વિવાદ થયો હતો. જેનો હિન્દુવાદી સંગઠનોએ વિરોધ કર્યો હતો. સાથે જ પાર્ટીએ પણ નોટિસ ફટકારી હતી.
ઔરંગઝેબની તુલના પરશુરામ સાથે કરી
પૂર્વ મહિલા નગર કોંગ્રેસ અધ્યક્ષ રેખા વિનોદ જૈને સોશિયલ મીડિયા પર કથાકાર મણિકા મોહિનીની વાત કહેતા લખ્યું હતું કે, ઔરંગઝેબે પોતાના ભાઈનું માથું વાઢીને પોતાના પિતાને ભેટમાં આપ્યું હતું. પરશુરામે પોતાની માતાનું માથું કાપીને પોતાના પિતાને ભેટમાં આપ્યું હતું. પોસ્ટમાં કહેવાયું હતું કે, મારી સમજમાં વિવેકહીન, વહશી દરિંદાઓ બંને જગ્યાએ છે, પણ હિન્દુત્વની બીમારી વધારે ખતરનાક છે. કારણ કે પરશુરામને અવતાર અને ધર્મનું પ્રતીક માનનારા બ્રામ્હણત્વ જ નહીં, હિન્દુઓના પણ મુખ્યા અને આગેવાન છે.
આ પોસ્ટ પર વિવાદ થયો
પોસ્ટ પર વિવાદ વધતા પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષે તેને ડિલીટ કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિગત 12 માર્ચની રાહત તેમણે ભૂલથી પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. તેમની પાસે કોઓઈએ આ પોસ્ટને મોકલી હતી. બીજા દિવસે તેમને અનુભવ થયો કે, તેમને ભૂલથી વિવાદિત પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. તેમણે તાત્કાલિક તેને ડિલીટ કરી અને પોતાની ભૂલ સ્વીકાર કરતા જાહેરમાં માફી માગી હતી.
તેમણે કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી. ભૂલથી તેમના વિવાદિત પોસ્ટ વાયરલ થઈ ગઈ. પાર્ટીએ આ સંબંધમાં તેમને નોટિસ જાહેર કરી હતી. જેનો તેમણે જવાબ આપ્યો છે.
આ પણ વાંચો: નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા કાવતરું : એકનાથ શિંદેનું મોટું નિવેદન, જાણો શું કહ્યું