ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2024ટ્રેન્ડિંગ

લોકસભા ચૂંટણી: સ્થળાંતરિત કામદારોને મતદાનના દિવસે સવેતન રજા મળશે

Text To Speech

પાટણ, 2 એપ્રિલ: લોકસભા સામાન્ય ચૂંટણીના અવસરમાં વધુને વધુ લોકો સહભાગી બનીને પોતાનો કિંમતી મત આપે તે અર્થે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ કેટેગરીના મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચાલતી પ્રવૃતિઓ અંતર્ગત જિલ્લાના સ્થળાંતરીત મતદારોને પણ આવરી લેવામાં આવ્યા છે. જે મતદારો પાટણ જિલ્લામાં ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે પરંતુ તેઓનો મતદાર વિસ્તાર જિલ્લા બહારનો છે તેવા મતદારો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી રહી છે.

થોડા સમય અગાઉ જ જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં ખાનગીક્ષેત્રના માલિકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ખાનગીક્ષેત્રમાં કામ કરતા અને જિલ્લા બહાર મતવિસ્તાર ધરાવતા કામદાર મતદારો માટે મતદાનની વ્યવસ્થા ગોઠવવા માટે વાત કરી હતી. તેથી આ કામગીરીના અનુસંધાને નોડલ ઓફિસર-સ્થળાંતરિત મતદાર અને સરકારી શ્રમ અધિકારી મનસ્વીબેન કથીરીયા દ્વારા પાટણ જિલ્લાના ઔદ્યોગિક એકમોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત લઈને સંસ્થાના જવાબદાર પ્રતિનિધિને મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા માટેની સમજણ આપવામાં આવી હતી. તેમજ તેઓની પાસે આ બાબતના બાંહેધરી પત્રક પણ ભરાવવામાં આવ્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયને તમામ ખાનગીક્ષેત્રના માલિકોને તેઓના સ્થળાંતરીત કામદાર મતદારો પાસે અવશ્ય મતદાન કરાવવા માટેનું સુચન કર્યું હતુ. જેથી જિલ્લાનો કોઈ પણ નાગરીક મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય. આ અભિગમને ચરિતાર્થ કરવા માટે નોડલ ઓફિસર-સ્થળાંતરિત મતદાર અને સરકારી શ્રમ અધિકારી મનસ્વીબેન કથીરીયા દ્વારા જિલ્લાના ઔધોગિક એકમોની મુલાકાત લઈને તેઓને મતદાનના મુલ્ય અંગે સમજ આપીને મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા માટેની વાત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: આણંદઃ ચૂંટણી અધિકારી-કર્મચારીઓને ઝાયડસ હોસ્પિટલમાં કેશલેસ સુવિધા મળશે

Back to top button