ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

દિલ્હી પોલીસને આવ્યો કોલ, કહ્યું ‘PM મોદી અને અમિત શાહને મારી નાખીશું

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. દિલ્હી પોલીસને ફોન આવ્યો કે પીએમ મોદીને મારી નાખવામાં આવશે. આ વ્યક્તિએ ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મારી નાખવાની ધમકી પણ આપી છે. આ મામલો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આ મામલાની તપાસ માટે એક ટીમ પણ બનાવવામાં આવી છે.

દિલ્હી પોલીસ એલર્ટ મોડ પરઃ ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હી પોલીસને બે કોલ આવ્યા હતા. જેમાં પહેલા કોલમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બીજા કોલમાં ફોન કરનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મારી નાખવાની ધમકી આપી હતી. આ ફોન કોલ બાદ દિલ્હીથી બિહાર સુધી હલચલ મચી ગઈ હતી. દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

આ પહેલા 22 માર્ચના રોજ વોટ્સએપ દ્વારા નીતિશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો હતો.

આ પણ વાંચોઃ યુગાંડામાં સજાતિય સબંધો પર મળશે મોત! અમેરિકાએ આપી ધમકી

Back to top button