ગુજરાતટોપ ન્યૂઝ

જૂનાગઢમાં આજથી લીલી પરિક્રમા શરૂ, જાણો કેમ એક દિવસ પહેલા ખુલ્યા ગેટ

  • પરિક્રમા રૂટ પર શ્રધ્ધાળુઓને રવાના કરાયા
  • હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા છે
  • પીવાના પાણીની સમસ્યા હલ કરવાનું તંત્ર માટે કસોટી ભર્યું

જૂનાગઢમાં આજથી લીલી પરિક્રમા શરૂ થઇ છે. જેમાં એક દિવસ પહેલા ગેટ ખુલ્યા છે. ત્યારે હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા છે. તેમાં યાત્રિકોનો ઘસારો વધતા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. તથા પરિક્રમા રૂટ પર શ્રધ્ધાળુઓને રવાના કરાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી, જાણો કયા વરસાદ આવશે

પીવાના પાણીની સમસ્યા હલ કરવાનું તંત્ર માટે કસોટી ભર્યું

જૂનાગઢમાં વહેલી સવારથી લીલી પરિક્રમા શરૂ થઇ છે. ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમાનું ખાસ મહત્વ છે. તેમાં પણ ગિરનારની પરિક્રમાનું ખાસ મહત્વ છે. આ વખતે ગિરનાર પરિક્રમા 23 નવેમ્બર કાર્તિકી એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી યોજાનાર છે. પણ આજે એક દિવસ પહેલા જ પરિક્રમા ગેટ ખોલાયો છે. આ પરિક્રમા કરવા દેશભરમાંથી લાખો યાત્રિકો આવ્યા છે. ત્યારે વહીવટી તંત્ર, પોલીસ, અન્નક્ષેત્રો તેમજ સેવા સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ તૈયારી કરાઇ છે. સાધુ સંતોના સૂચનોને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે. ખાસ કરીને સ્વચ્છતા અને પીવાના પાણીની સમસ્યા હલ કરવાનું તંત્ર માટે કસોટી ભર્યું છે.

આ પણ વાંચો: રાજ્યની ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર, સિંગતેલના ભાવમાં ઘટાડો

હાર્ટ એટેકને લઇ એમડી ડોકટર પણ તૈનાત રખાશે

આ પરીક્રમા દરમિયાન 200 થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ, 25 થી વધુ મેડિકલ કેમ્પ અને આ વખતે ખાસ હાર્ટ એટેકને લઇ એમડી ડોકટર પણ તૈનાત રખાશે. પીવાના પાણીના 15 પોઇન્ટ, લાઈટ અને લોકોની સુરક્ષાને લઇ 500 થી વધુ પોલીસ કર્મી યાત્રા રૂટ પર તૈનાત રહેશે. આ વર્ષે મોસમ સારી હોય અને કુદરત પણ મહેરબાન હોય તો પંદર લાખ યાત્રિકો કુદરતને માણવા આવે તેવી સંભાવનાને ધ્યાનમાં લઈ એસટી તંત્ર, રેલ તંત્ર, તેમજ ટ્રાફિક નિયમન પણ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાશે.

યાત્રિકો દામોદરકુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરે છે

ગિરનારની પરિક્રમા શરૂ કરતાં યાત્રિકો 40 કિમીની યાત્રા દરમિયાન મુખ્ય ચાર પડાવ ચાર દિવસમાં પાર કરે છે. પ્રકૃતિની ગોદમાં ખળખળ કરતા ઝરણાઓ, ઊંચા ઢોળાવો, કપરાં ચઢાણ, ગાઢ જંગલ માં યાત્રીકો ભોજન ભજન અને ભક્તિ કરતાં કુદરતને માણે છે. સૌ પ્રથમ કાર્તિકી એકાદશીએ રાતે બાર વાગ્યે પરિક્રમા રૂટ પરથી પૂજા પ્રાર્થના કરી પરિક્રમા શરૂ કરે છે અને આખી રાત ચાલ્યા બાદ પ્રથમ પડાવ જીણાબાવાની મઢી પહોંચે છે. ત્યાં ભોજન, ભજન અને ભક્તિ સાથે રાતવાસો કરી બીજા દિવસે ઇટવાની ઘોડી અને મેળવેલાંની કપરી ઘોડીનું ચઢાણ કરી માળવેલાની જગ્યામા પહોંચે છે. જે એકદમ ગાઢ જંગલોમાં આવેલ છે. ત્યાં બીજા પડાવનો રાતવાસો કરે છે. ઘણા લોકો અહી રોટલા, ઓળો, ખીચડીનું દેશી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને ભક્તિ સાથે આનંદ માણે છે. ત્રીજા દિવસે ત્યાંથી આગળ ચાલતાં ચાલતાં સુરજકુંડ, સુખનાળા થઈ બોરદેવી પહોંચે છે. ત્યાં કુદરતી જંગલનો માહોલ અને વન્યજીવોના ખતરા સાથે રાતવાસો કરે છે. આખરે ચોથા દિવસે બોરદેવીથી આગળ ચાલતા ભવનાથ પહોચે છે અને દામોદરકુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરે છે.

Back to top button