ધર્મ

ગંગાજળની જેમ તુલસી જળના પણ છે અનેક લાભ ! આ રીતે મળશે સુખી જીવનના આશીર્વાદ

ગંગાજળની જેમ જ તુલસી જળ તમને સ્વાસ્થ્યનું સુખ પ્રદાન કરે છે ! તાંબા કે પિત્તળના કળશમાં પાણી લઇને તેમાં તુલસીના પાનને રાખો. આમ કરવાથી જળ પવિત્ર અને શુદ્ધ થઇ જાય છે. બીજા દિવસે આ જળ ગ્રહણ કરવાથી સ્વાસ્થ્ય સારુ રહેશે !

આ પણ વાંચો : ફેંગશુઈના આ ઉપાયોથી વાસ્તુ દોષ સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ થશે દુર !

સનાતન ધર્મમાં તુલસી પૂજાની આગવુ મહત્ત્વ

સનાતમ ધર્મમાં તુલસી પૂજાનું આગવુ મહત્ત્વ રહેલું છે. કારણ કે, તુલસીનો છોડ અત્યંત કલ્યાણકારી મનાવામાં આવે છે. તુલસીના પાનમાં રહેલા આ ઔષધિયો ગુણો કે જે વ્યક્તિને વિવિધ રોગોમાં રાહતની પ્રાપ્તિ કરાવે છે. એ જ કારણ છે કે તુલસીપત્ર વિના શ્રીહરિ વિષ્ણુને ભોગ નથી લાગતો. કહે છે કે, જ્યાં તુલસીનું પાન હોય ત્યાં નકારાત્મકતા પ્રવેશી પણ શકતી નથી. પણ, શું તમે એ જાણો છો કે આ જ તુલસી પત્ર જ્યારે જળ સાથે એકરૂપ થાય છે, ત્યારે તે ચમત્કારિક પરિણામ આપે છે ! તો અહી જાણો તુલસી જળના કેટલાંક એવાં લાભ કે જે તમારા સૂતેલા ભાગ્યને પણ જગાવી શકે છે. અને સાથે જ આપને આર્થિક લાભની પ્રાપ્તિ કરાવી શકે છે.

નકારાત્મક ઊર્જાથી મુક્તિ અર્થે

જીવનમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે અપનાઓ આ વિશેષ ઉપાયો. રાત્રે તુલસીના પાનને સાફ કરીને પાણીમાં રાખી દો. સવારે સ્નાન કર્યા પછી આ તુલસી જળનો ઘરમાં છંટકાવ કરો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને તમને સકારાત્મક વાતાવરણની અનુભૂતિ થાય છે.

તુલસી જળ - Humdekhengenews

ધંધા-રોજગારમાં પ્રગતિ અર્થે

વ્યાપારમાં પ્રગતિ મેળવવા માટે એક કળશમાં પાણી ભરી તેમાં તુલસીપત્ર ઉમેરો. ત્યારબાદ તે તુલસી જળને બે થી ત્રણ દિવસ માટે રાખી મૂકો. પછી, આ જળનો દુકાન, ફેક્ટરી અને ઓફિસમાં છંટકાવ કરી દો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી ધંધા-રોજગારના ક્ષેત્રમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. અને પ્રગતિના માર્ગ ખુલ્લા થઈ જાય છે. તે સાથે જ ઘરમાં સમૃદ્ધિનું આગમન થાય છે.

સારા સ્વાસ્થ્ય અર્થે

તુલસી જળ તમને સ્વાસ્થ્યનું સુખ પણ પ્રદાન કરશે ! આ માટે તાંબા કે પિત્તળના કળશમાં પાણી લઈને તેમાં તુલસીના પાનને ઉમેરો. આમ કરવાથી જળ પવિત્ર અને શુદ્ધ થઇ જાય છે. બીજા દિવસે આ જળને આપ ગ્રહણ કરી લો. કહે છે કે આ તુલસી જળથી આપનું સ્વાસ્થ્ય સારુ રહે છે. તેમજ આપનું મન પણ શાંત રહે છે.

તુલસી જળ - Humdekhengenews

તુલસી જળથી આ રીતે થશે ખુશીઓનો વરસાદ

હિન્દુ માન્યતાઓ અનુસાર માગશર મહિનામાં તેમજ શુભ અવસરો પર ભગવાન શ્રીકૃષ્ણને તુલસી પત્રવાળા જળથી સ્નાન કરાવવું જોઇએ. તેના માટે એક કળશમાં પાણી ઉમેરી તેમાં તુલસીના પાન ઉમેરો. હવે આ જળથી શ્રીકૃષ્ણને સ્નાન કરાવો. કહે છે કે આ ઉપાય કરવાથી શ્રીકૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે. તે જીવનના તમામ સંતાપ દૂર કરી દે છે. અને જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.

Back to top button