લાલુ યાદવનું ઓપરેશન સફળઃ રોહિણી પણ સ્વસ્થ, તેજસ્વી યાદવે કર્યુ ટ્વિટ


રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનું આજે સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યુ છે. તેમની પુત્રી રોહિણી આચાર્યે પિતાને કિડની ડોનેટ કરી છે. લાલુ પહેલા રોહિણીનું ઓપરેશન થયુ. લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ટ્વિટર પર વીડિયો શેર કરીને જાણકારી આપી છે.
पापा का किडनी ट्रांसप्लांट ऑपरेशन सफलतापूर्वक होने के बाद उन्हें ऑपरेशन थियेटर से आईसीयू में शिफ्ट किया गया।
डोनर बड़ी बहन रोहिणी आचार्य और राष्ट्रीय अध्यक्ष जी दोनों स्वस्थ है। आपकी प्रार्थनाओं और दुआओं के लिए साधुवाद। ???????? pic.twitter.com/JR4f3XRCn2
— Tejashwi Yadav (@yadavtejashwi) December 5, 2022
બિહારના ડેપ્યુટી સીએમ અને લાલુ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવે ટ્વિટ કર્યુ છે, પાપાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફલતાપુર્વક થયા બાદ ઓપરેશન થિયેટરમાંથી આઇસીયુમાં શિફ્ટ કરાયા છે. ડોનર મોટી બહેન રોહિણી આચાર્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થનાઓ અને દુઆઓ કામ લાગી છે.
બિહારમાં કાલથી થઇ રહી છે પુજા-અર્ચના
બિહારમાં પૂર્વ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય માટે પૂજા-અર્ચના પણ થઈ હતી. બિહારના મંત્રીઓ અને ધારાસભ્યોએ દાનાપુરના અર્ચના મંદિરમાં પૂજા કરી હતી. આ સિવાય સ્થાનિક લોકોએ હવન કર્યો હતો. દાનાપુરના કાલી મંદિરમાં ધારાસભ્યો અને મંત્રીઓએ જલાભિષેક અને હવન કર્યો હતો. આજે તેજ પ્રતાપ યાદવે પિતા લાલુ પ્રસાદના સ્વાસ્થ્યને લઈને તેમના ઘરે મહામૃત્યુંજય અને રુદ્રાભિષેક પણ કર્યો હતો.