ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્લી AIIMSમાંથી લાલુ યાદવ ડિસ્ચાર્જ

Text To Speech

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને દિલ્હી એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. તેમની તબિયત સુધર્યા બાદ દિલ્હી AIIMSના ડોક્ટરોએ તેમને ઘરે જવાની મંજૂરી આપી દીધી છે. તેમની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વિટર પર તસવીરો શેર કરીને આ વિશે અપડેટ કર્યું છે. રોહિણીએ શેર કરેલી તસવીરમાં રાબડી દેવી પણ જોવા મળી રહી છે.

રોહિણી આચાર્ય દ્વારા શેર કરાઈ તસવીર

રોહિણી આચાર્ય દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં લાલુ યાદવ ખુરશી પર બેઠેલા જોવા મળે છે. રોહિણીએ ટ્વીટ કરીને લખ્યું- “પપ્પાનું પરત સ્વાગત છે. દુનિયા તેમને પ્રેમ કરે છે જે તેમણે લાખો લોકોના દિલો પર કરી છે.” અહીં લાલુ યાદવની તબિયત અંગે જે માહિતી સામે આવી છે તે મુજબ તેઓ ઘરે આરામ કરી શકે છે. અત્યારે તે પોતાની દીકરી મીસા ભારતી સાથે દિલ્હીમાં રહેશે.

લાલુ સારવાર માટે પટનાથી દિલ્હી ગયા હતા

જણાવી દઈએ કે, લાલુ યાદવ પટના સ્થિત રાબડી આવાસમાં પડી ગયા હતા. તેમને કાંકરબાગમાં બતાવ્યા બાદ ડોક્ટરે ખભામાં મામૂલી ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. આ પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, જેથી તેમને પટનાના બેઈલી રોડ પરની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જ્યારે અહીંથી આરામ ન થયો ત્યારે તેમને સારવાર માટે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Back to top button