ટ્રેન્ડિંગમનોરંજન

તેરી બાતોમેં ઐસા ઉલઝા જિયા- રીલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ક્રિતિ સેનન

Text To Speech
  • અભિનેત્રી ક્રિતિ સેનને ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ની રીલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી અને ફિલ્મ માટે પ્રાર્થના કરી હતી

મુંબઈ, 8 ફેબ્રુઆરીઃ હાલમાં બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને ક્રિતિ સેનન તેમની આગામી ફિલ્મ ‘તેરી બાતોમેં ઐસા ઉલઝા જિયા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ પહેલા અભિનેત્રી ક્રિતિ સેનને મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરમાં જઈને ભગવાન ગણેશના આશીર્વાદ લીધા હતા.

અભિનેત્રી ક્રિતિ સેનન ગુરુવારે (8 ફેબ્રુઆરી) મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી, જ્યાં તેણે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. અભિનેત્રીએ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ની રીલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી અને તેની ફિલ્મ માટે પ્રાર્થના કરી હતી. ઘણા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં કૃતિ મંદિર તરફ જતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

પીળા ડ્રેસમાં સુંદર લાગતી હતી ક્રિતી

ક્રિતિ સેનન સિદ્ધિવિનાયક મંદિરે દર્શન માટે પહોંચી ત્યારે તેણે પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. સાથે મેચિંગ કોલ્હાપુરી ચંપલ પહેરી હતી. તસવીરોમાં ક્રિતિ સાવ લાઈટ મેકઅપમાં જોવા મળી રહી છે. ક્રિતિ સેનન અને શાહિદ કપૂર પોતાની આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે.

શું છે ફિલ્મમાં

આ ફિલ્મની કહાની હ્યુમન અને રોબોટના રોમાન્સ પર આધારિત છે. ફિલ્મમાં શાહિદ રોબોટ સાયન્ટિસ્ટની ભૂમિકામાં છે અને ક્રિતિ એઆઈ રોબોટની ભૂમિકામાં છે. ફિલ્મમાં શાહિદ અને ક્રિતિ ઉપરાંત ડિમ્પલ કાપડિયા, ધર્મેન્દ્ર, રાકેશ બેદી અને રાજેશ કુમાર પણ છે.

આ પણ વાંચોઃ રજનીકાંતે દિકરીની ફિલ્મમાં કામ કરવા માટે વસૂલી મોટી ફી!

Back to top button