એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાળંગપુર મંદિર વિવાદને લઈ કોઠારી સ્વામીએ આપી મોટી બાહેંધરી, જાણો ભીંતચિંત્ર હટાવવાને લઈ શું કહ્યું

  • સાળંગપુરમાં રેલીના મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે બેઠક
  • લક્ષ્મણજી મંદિરનાં મહામંડલેશ્વર જગદેવ દાસજીનુ નિવેદન
  • સ્વામીજીએ આપી બાહેંધરી 

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. વિવાદ વકરતા આજે સાધુ-સંતોએ રેલી કાઢ્યા બાદ રેલીના મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે બેઠક યોજાઇ હતી. સાળંગપુરમાં અડધો કલાકથી ચાલી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં ભીંતચિત્રો દૂર કરવાની સાધુ સંતોની માગ હતી. જેને લઈ 2 દિવસનો સમય માંગવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બોટાદમાં સાધુ-સંતોએ રેલી નિકાળીને વિરોધ કર્યો હતો.આજે સાધુ-સંતોએ રેલી કાઢ્યા બાદ રેલીના મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે બેઠક યોજાઇ હતી. સાળંગપુરમાં અડધો કલાકથી ચાલી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં ભીંતચિત્રો દૂર કરવાની સાધુ સંતોની માગ હતી. આ તરફ લક્ષ્મણજી મંદિરનાં મહામંડલેશ્વર જગદેવ દાસજીએ કહ્યું છે કે,ભીતચિંત્ર હટાવવા અમે 2 દિવસનો સમય આપ્યો છે. આ સાથે ઉમેર્યું કે, કોઠારી સ્વામીજીએ અમને બાહેંધરી આપી છે. જોકે હવે જોવું એ રહ્યું કે, આ બે દિવસમાં ભીતચિંત્ર હટશે કે નહિ ? સ્વામીજીએ અમને બાહેંધરી આપી છે. તેમણે કહ્યું કે, ભીતચિંત્ર હટાવવા અમે 2 દિવસનો સમય આપ્યો છે.

Botad: 'King of Salangpur Project'
સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિર પરિસરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે

મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર
સાળંપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રામ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. જેમાં મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિ નાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાસિક સહિત મોટી સંખ્યામાં સંતો હાજર છે.

સાધુ-સંતોની બેઠકમાં સાધુ-સંતોએ શપથ લીધા
જેમાં લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોએ શપથ લીધા છે. સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ લીધા છે.

આ પણ વાંચો : BREAKING : સાળંગપુર ભીંત ચિત્રો વિવાદ વકર્યો, મંદિરના તમામ ગેટ કરાયા બંધ

Back to top button