ટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષ

કોલકાતા કાંડના આરોપી સંજય રૉયે કબુલ્યો પોતાનો ગુનો, જણાવ્યું કેવીરીતે કરી હત્યા

કોલકાતા – 27 ઑગસ્ટ : કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરની રેપ હત્યા કરનાર આરોપી સંજય રોયે મોટો ખુલાસો કર્યો છે. તેણે તે ખૌફનાક રાત વિશે તમામ માહિતી આપી છે અને પોતાનો ગુનો પણ કબૂલ કર્યો છે.

કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મધરાતે લેડી ડોક્ટરની નિર્દયતાથી હત્યા કરનાર ક્રૂર સંજય રોયે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. જો સીબીઆઈના સૂત્રોનું માનીએ તો હત્યારા સંજય રોયે સીબીઆઈની પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે, તેણે જ ટ્રેની લેડી ડોક્ટરની હત્યા કરી હતી. તેણે એમ પણ કહ્યું કે, મહિલા ડૉક્ટર સાથે રેપ બાદ તેનું મર્ડર એટલે કર્યું હતું, કારણ કે તે સતત બૂમો પાડી રહી હતી. ઉલ્લેખનીય છે કે  9 ઓગસ્ટના રોજ, આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં એક ટ્રેની મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેના પર બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ હતી.

સંજયને પકડાય જવાનો ડર હતો માટે કરી હત્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી સંજય રોયે કહ્યું, ‘પીડિતા સતત બૂમો પાડી રહી હતી, તેથી મેં તેનું ગળુ દબાવી દીધું અને ત્યાં સુધી દબાવી રાખ્યું, જ્યાં સુધી તેણે દમ ન તોડી નાખ્યો.’ સૂત્રો દ્ધારા મળતી માહિતી મુજબ સંજય રોય બોક્સિંગનો સારો ખેલાડી છે. તેથી પીડિતા પણ પોતાનો બચાવ કરી શકી ન હતી અને આ પણ એક કારણ છે કે સંજય રોયે પીડિતાનું મૃત્યુ ન થયું ત્યાં સુધી તેનું ગળું દબાવી રાખ્યું હતું. પીડિતાએ પણ પોતાના બચાવ માટે ચીસો પાડી રહી હતી. સંજય રોયને પકડાઈ જવાની બીક હતી.

સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો
આરોપી સંજય રોયે તેના મેડિકલ ટેસ્ટ દરમિયાન પણ આ વાતનો ખુલાસો કર્યો હતો.  તેનો ‘પોલીગ્રાફ ટેસ્ટ’ કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં કરવામાં આવ્યો હતો. સંજય રોયને ત્યાં જ કેદ કરી દેવામાં આવ્યા છે. ‘પોલીગ્રાફ ટેસ્ટ’ દરમિયાન, જ્યારે કોઈ વ્યક્તિ સવાલોના જવાબ આપી રહી હોય, ત્યારે તેની શારીરિક પ્રતિક્રિયાઓ મશીનની મદદથી માપવામાં આવે છે અને તે સાચું બોલે છે કે જૂઠું બોલે છે તે જાણવા મળે છે. સીબીઆઈએ કોર્ટ પાસેથી રોય અને ઘોષ સહિત સાત લોકો પર ‘લાઇ ડિટેક્ટર ટેસ્ટ’ કરાવવાની પણ પરવાનગી લીધી છે. ટ્રાયલ દરમિયાન આ એક્ઝામિનેશનનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાતો નથી પરંતુ તેના પરિણામો એજન્સીને વધુ તપાસમાં દિશા આપશે.

કેવી રીતે પકડાયો સંજય રોય
ટ્રેની ડૉક્ટરના મૃતદેહની નજીક CCTV ફૂટેજ અને બ્લૂટૂથ ડિવાઇસ મળી આવ્યા બાદ સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી, જે કૉલેજના સેમિનાર હૉલમાં  સવારે 4 વાગ્યાની આસપાસ પ્રવેશ કરતો જોવા મળ્યો હતો જ્યાં સવારે 4 વાગ્યે મૃતદેહ મળ્યો હતો.સીબીઆઈએ હાલમાં તમામ 7 લોકોના પોલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ કર્યા છે. જ્યાં એક તરફ સીબીઆઈ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ સંજય રોય સાથેના કનેક્શનની તપાસ પણ કરી રહી છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારના કેસની પણ સઘન તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : દિવસભર તમે તો નથી પીતાને 5-6 કપ ચા? તો ચેતો, આ થઈ શકે છે નુકશાન

Back to top button