મનોરંજન

Koffee With Karan 7: સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીએ તેમના સંબંધોનો કર્યો સ્વીકાર

Text To Speech

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ચાહકોનું ફેવરિટ કપલ છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાના અહેવાલો આવી રહ્યા છે, પરંતુ બંનેએ અત્યાર સુધી આ અંગે મૌન સેવ્યું છે. કિયારા અને સિદ્ધાર્થની આંખોમાં ચાહકો એકબીજા માટેનો પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકે છે. અનેક વાર પાપારાઝીએ બન્નેને અલગ અલગ સ્પોટ પર કેમેરામાં કેદ કર્યા છે. આટલા લાંબા સમય સુધી સંતાકૂકડી રમ્યા બાદ આખરે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના સંબંધોને સમર્થન આપ્યું છે. આ માટે તમે કરણ જોહરનો આભાર માની શકો છો.

કિયારાએ આ રિલેશનશિપ પર કહ્યું

સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિકી કૌશલ કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 7’માં પહોંચ્યા હતા. આ એપિસોડમાં કરણે સિદ્ધાર્થને તેની કથિત ગર્લફ્રેન્ડ કિયારા અડવાણીનો વીડિયો બતાવ્યો હતો. આ વીડિયો કરણના શોના નવા એપિસોડનો હતો. જેમાં કિયારા અડવાણી તેના કો-સ્ટાર શાહિદ કપૂર સાથે જોવા મળી હતી. વીડિયોમાં કરણ કિયારાને સિદ્ધાર્થ વિશે સવાલ કરી રહ્યો છે. કરણે કિયારાને પૂછ્યું કે શું સિદ્ધાર્થ સાથેનો તેનો સંબંધ તેના પાત્ર પ્રીતિના કબીર સિંહ સાથેના હિંસક સંબંધો કરતાં અલગ છે. આના પર કિયારાએ હસીને કહ્યું કે કરણ જાણીજોઈને તેના મોઢામાંથી જવાબ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ અંગે કરણ જોહરે કહ્યું કે છેલ્લી સિઝનમાં લોકો તેમના સંબંધોને છુપાવતા હતા. કિયારાએ કહ્યું કે તે રિલેશનશિપમાં હોવાની વાતને ન તો સ્વીકારી રહી છે અને ન તો નકારી રહી છે.જો કે, અંતે, તેણીએ કહ્યું કે તે અને સિદ્ધાર્થ નજીકના મિત્રો કરતાં વધુ છે.

સિદ્ધાર્થે રિલેશનશિપની પુષ્ટિ કરી!

કરણ જોહરે કિયારા અડવાણી સાથેના લગ્ન અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેના પર અભિનેત્રીએ કહ્યું કે તે જીવનમાં પણ આવું કરવા માંગે છે, પરંતુ ‘કોફી વિથ કરણ’ પર તેનો પ્લાન જણાવશે નહીં. સિદ્ધાર્થ મલ્હોત્રાને વીડિયો બતાવ્યા બાદ કરણે અભિનેતા પાસેથી પ્રતિક્રિયા માંગી હતી. સિદ્ધાર્થે કહ્યું, કેમ કરણ તે આટલી પરેશાન કરી કિયારને,

કરણે સિદ્ધાર્થને લગ્નનું આમંત્રણ આપવા કહ્યું 

કરણ જોહરે વધુમાં કહ્યું કે, તેણે વિચાર્યું છે કે તે લગ્ન પર શું કરશે. આના પર સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું- ‘તમે તૈયાર છો, હવે અમને પણ થવા દો…’ વિક્કી કૌશલે સિદ્ધાર્થની આ વાત પર ફની લુક આપ્યો. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે સિદ્ધાર્થે તેના સંબંધોની પુષ્ટિ કરી છે. બાદમાં સિદ્ધાર્થે પણ કહ્યું, ‘જોઈએ કરણ આગળ શું થાય છે દરેક વ્યક્તિ કામ કરવા માંગે છે અને સુખી ભવિષ્ય અને જીવન જીવવા માંગે છે. એ જાણીને આનંદ થયો કે અમારી સાથે તમારા આશીર્વાદ છે. કરણે સિદ્ધાર્થને ચેતવણી આપી કે જો તે કરણને તેના લગ્નમાં આમંત્રણ નહીં આપે તો તે થપ્પડ મારી દેશે. આના પર સિદ્ધાર્થે વચન આપ્યું કે આવું નહીં થાય.

કપલ લાંબા સમયથી રિલેશનશિપમાં 

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના સંબંધોની વાત કરીએ તો બંને લાંબા સમયથી સાથે છે. બંનેએ ‘શેરશાહ’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.  જેમાં તેમની કેમેસ્ટ્રીની ખૂબ ચર્ચા થઈ હતી. થોડા સમય પહેલા કપલના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા હતા. આ બંને અહેવાલોને પણ પોતપોતાની રીતે ફગાવી દેવામાં આવ્યા છે. ઘણીવાર કિયારા અને સિદ્ધાર્થ પાર્ટી અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. હવે બંનેના સંબંધો કન્ફર્મ થઈ ગયા છે, જેથી તેમના ફેન્સ પણ ઘણા ખુશ છે.

Back to top button