મનોરંજન

જય શ્રી રામ…હનુમાનજી માટે આ ફિલ્મના શોમાં બુક રખાશે સીટ

Text To Speech

આદિપુરુષ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેનો ચકચાર મચી ગયો છે.હવે આ ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે દરેક થિયેટરમાં ભગવાન હનુમાનજી માટે એક સીટ ખાલી રાખવાની જાહેરાત કરી છે પ્રભાસની ફિલ્મ આદિપુરુષની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.રામાયણ પર આધારિત આ ફિલ્મ માટે તેને જોઈને લોકોમાં ઉત્તેજના સર્જાઈ છે.ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેને લઈને ઉત્તેજના વધુ વધી ગઈ છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવ્યા છે.વાસ્તવમાં,આ ફિલ્મના રિલીઝ સમયે નિર્માતાઓએ દરેક થિયેટરમાં ભગવાન હનુમાન માટે એક સીટ ખાલી રાખવાની જાહેરાત કરી છે.

Adipurush Makers Unveil New Poster Featuring Prabhas, Kriti As Ram-Sita To  Mark Ram Navami. See Here | Entertainment News, Times Now

એમના કહેવા મુજબ દરેક સિનેમા હોલમાં એક સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરવામાં આવશે.નિર્માતાઓએ તેમના નિવેદનમાં કહ્યું,”જ્યાં પણ રામાયણનું પાઠ કરવામાં આવે છે,ત્યાં ભગવાન હનુમાન મુલાકાત લે છે. તે અમારી માન્યતા છે.આ માન્યતાને માન આપીને,પ્રભાસની રામ-સ્ટારર આદિપુરુષના દરેક થિયેટર સ્ક્રીનીંગમાં એક સીટ ખાલી રાખવામાં આવશે અને એ સીટ ભગવાન હનુમાન માટે રિઝર્વ રહેશે.

Adipurush Trailer Sets The Bar High For The Film As It Starts To Create  Records, Most - Watched Trailer Of 2023 With 70 Million Views & Counting

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ‘આદિપુરુષ’ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.આ ફિલ્મ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે – તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ. ફિલ્મમાં પ્રભાસ પ્રભુ શ્રી રામના રોલમાં જોવા મળશે.જ્યારે કૃતિ સેનન માતા સીતા અને સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મને બનાવવામાં 500 કરોડથી વધુ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ચાહકો આદિપુરુષ વિશે પહેલેથી જ ખૂબ જ ઉત્સાહિત છે.

Om Raut on Twitter: "Ye Dosti gehri hai aur picture bhi 3D hai...#Prabhas ✨  Thank you very much for a lovely response to the Adipurush trailer... Watch  Adipurush in 3D. #JaiShriRam #Adipurush

આવી સ્થિતિમાં, નિર્માતાઓએ હવે આ ફિલ્મની રિલીઝ પર દરેક થિયેટરમાં ભગવાન હનુમાન માટે એક સીટ ખાલી રાખવાની જાહેરાત કરી છે. હવે આ સાથે, ચાહકોને ફિલ્મ માટે વધુ ઉત્સાહ જોવા મળી શકે છે. વાસ્તવમાં, મેકર્સ દ્વારા આ જાહેરાત ફિલ્મની રિલીઝના માત્ર 10 દિવસ પહેલા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : જગતના નાથ થયા ક્વોરન્ટાઇન, જાણો વૈદ્યજીએ શું આપી ઔષધિ

Back to top button