સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, કેપ્ટન રાહુલ સિરીઝમાંથી બહાર, પંતને કમાન

Text To Speech

દક્ષિણ આફ્રિકા સામે 9 જૂનથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરાયેલા કેએલ રાહુલને ઈજા થઈ છે. કે.એલ રાહુલની ઈજા એટલી ગંભીર છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સિરીઝનો ભાગ બની શકશે નહીં. આ સિરીઝ માટે BCCI દ્વારા ઋષભ પંતને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કેએલ રાહુલની ઈજા અંગે હજુ સુધી વધુ માહિતી સામે આવી નથી. પરંતુ BCCIએ પુષ્ટિ કરી છે કે રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સિરીઝનો ભાગ નહીં હોય. જો કે રાહુલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનશે કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.

સિરીઝની શરૂઆત પહેલા જ ઋષભ પંતને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. હવે BCCIએ સ્પષ્ટ કર્યું છે કે રાહુલના રમવાની સ્થિતિમાં ટીમની કમાન ઋષભ પંતના હાથમાં રહેશે. જોકે, BCCI દ્વારા હજુ સુધી વાઇસ કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી નથી.

રોહિત શર્મા પણ આ સિરીઝનો ભાગ નથી
ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. રાહુલના એક્ઝિટના કારણે ટીમ ઈન્ડિયાએ પોતાના ઓપનિંગ ઓર્ડરમાં પણ ફેરફાર કરવો પડશે. ઈશાન કિશનનું રમવાનું પહેલાથી નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે ઈશાન કિશન સાથે ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગની જવાબદારી સંભાળતો જોવા મળે તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ કે આ સીરીઝ માટે BCCIએ રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માને પહેલા જ આરામ આપી દીધો હતો. આ સિવાય વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝનો ભાગ નથી.

Back to top button