‘કેજરીવાલ કો આશીર્વાદ’ અભિયાન શરૂ, પત્ની સુનીતાએ વોટ્સએપ નંબર કર્યો જાહેર


- CM કેજરીવાલના પત્નીએ ફરી એકવાર દિલ્હીવાસીઓને સંબોધન કર્યું
- કોર્ટમાં તેમણે જે પણ કહ્યું તેના માટે ઘણી હિંમતની જરૂર છે: સુનિતા કેજરીવાલ
નવી દિલ્હી, 29 માર્ચ: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDની કસ્ટડીમાં છે. આ દરમિયાન તેમની પત્ની સુનીતા કેજરીવાલે ફરી એકવાર પોતાનું સંબોધન આપ્યું છે. તેમણે તેના પતિને સંદેશા મોકલવા માટે લોકો માટે એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. જેલમાં બંધ CM કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે, “કોર્ટમાં તેમણે (અરવિંદ કેજરીવાલ) જે પણ કહ્યું તેના માટે ઘણી હિંમતની જરૂર છે. હું છેલ્લા 30 વર્ષથી તેની સાથે છું. તેઓ પ્રખર દેશભક્ત છે.” ઉલ્લેખનીય છે કે, કોર્ટે પોતાના આદેશમાં સુનીતા કેજરીવાલને તેમના પતિ અરવિંદ કેજરીવાલને મળવાની મંજૂરી આપી છે.
કેજરીવાલના પત્નીએ સંબોધનમાં શું કહ્યું?
केजरीवाल जी को आशीर्वाद देने के लिए आप इस नम्बर पर WhatsApp करें – 8297324624 https://t.co/UwcZuL90KE
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 29, 2024
આ દરમિયાન સુનીતા કેજરીવાલે કહ્યું કે, “તમે અરવિંદ કેજરીવાલને તમારો ભાઈ, તમારો પુત્ર કહ્યા છે. શું તમે આ લડાઈમાં તમારા ભાઈ અને તમારા પુત્રને સાથ નહીં આપો? હું તમને એક વોટ્સએપ(WhatsApp) નંબર (8297324624) આપી રહી છું. આજથી અમે ‘કેજરીવાલને આશીર્વાદ’ નામનું અભિયાન શરૂ કરી રહ્યા છીએ. તમે આ વોટ્સએપ નંબર પર તમારા CM અરવિંદ કેજરીવાલને આશીર્વાદ મોકલી શકો છો… તમારો દરેક સંદેશ તેમના સુધી પહોંચશે.”
કેજરીવાલને કોર્ટમાંથી રાહત મળી નથી
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલને ગુરુવારે રાઉસ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે ED રિમાન્ડને 4 દિવસ માટે લંબાવી છે, હવે તે 1 એપ્રિલ સુધી ED કસ્ટડીમાં રહેશે. સુનાવણી દરમિયાન, રિમાન્ડ વધારવાની માંગ કરતી વખતે, તપાસ એજન્સીના વકીલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી તપાસમાં સહકાર આપી રહ્યા નથી. આ કેસ સાથે જોડાયેલા કેટલાક વધુ લોકો સાથે સીએમનો સામનો થવાનો છે.
આ પણ જુઓ: ચૂંટણી અને કેજરીવાલ પર UNની ટિપ્પણી: આશા છે કે દરેકના અધિકારોનું રક્ષણ થશે