ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલે વચગાળાના જામીન વધુ 7 દિવસ લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

Text To Speech
  • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PET-CT સ્કેન સાથે અન્ય ઘણા ટેસ્ટ કરાવવાના હોવાથી માંગ્યો સમય 

નવી દિલ્હી, 27 મે: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, સીએમ કેજરીવાલને PET-CT સ્કેન સાથે અન્ય ઘણા ટેસ્ટ કરાવવા પડશે. તેથી તેણે તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે, 10 મેના રોજ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન મળ્યા હતા. વચગાળાના જામીનનો આદેશ પસાર કરતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી આ વર્ષની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે. આગામી 5 વર્ષ માટે આ દેશની સરકારને ચૂંટવા માટે કરોડો મતદારો પોતાનો મત આપશે. સામાન્ય ચૂંટણીઓ લોકશાહીને જીવંતતા પ્રદાન કરે છે. તેના મહત્ત્વને ધ્યાનમાં રાખીને ફરિયાદ પક્ષની એ દલીલ ફગાવી દેવામાં આવે છે, જેમાં તેમણે કહ્યું છે કે જામીન આપવાથી રાજકારણીઓને આ દેશના સામાન્ય નાગરિકોની સરખામણીમાં ફાયદાકારક સ્થિતિમાં હોવાનો લાભ મળશે.

કેજરીવાલ 21 માર્ચથી જેલમાં હતા

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ, EDએ તેમને આ કેસમાં પૂછપરછ માટે 9 સમન્સ જારી કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે, તે કૌભાંડના મુખ્ય ષડયંત્રકાર હતા અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધા સંડોવાયેલા હતા. આ આરોપોને ફગાવી દેનાર AAP કહે છે કે, દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.

આ પણ જુઓ: રાજકોટ અગ્નિકાંડને લઈ મોટી કાર્યવાહી, 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા

Back to top button