મનોરંજન

કારગિલ વિજય દિવસ :અક્ષય કુમારે કારગિલના શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Text To Speech

કારગિલ પર બોલિવૂડમાં ઘણી ફિલ્મો બની છે,આપણે જાણીએ છીએ કે 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સૈનિકોએ બહાદુરીનું ઉદાહરણ રજૂ કર્યું હતું અને કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનીઓને હરાવીને કારગિલના તે સ્થાનોને આઝાદ કરાવ્યા હતા જે પાકિસ્તાની સેનાના કબજામાં હતા.તે યુદ્ધમાં 500 થી વધુ ભારતીય સૈનિકોએ દેશની ખાતર બલિદાન આપ્યું હતું.આજે પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધમાં ભારતની જીતના 26 વર્ષ પૂરા થયા છે.

કારગિલ વિજય દિવસ પર અક્ષય કુમારે શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતાએ ટ્વીટ કર્યું છે.બોલિવૂડ ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોની યાદમાં હૃદય સ્પર્શી ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું, “હૃદયમાં કૃતજ્ઞતા અને હોઠ પર પ્રાર્થના સાથે, કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા આપણા બહાદુરોને યાદ કરીને. અમે તમારા કારણે જીવીએ છીએ.” અભિનેતાની ટ્વીટ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો : કારગિલ વિજય દિવસ : દેશભક્તિની આ ફિલ્મો બલિદાન અને બહાદુરીની ગાથાની લાગણી બમણી કરશે

Back to top button