ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા રચાયેલા ઝવેરી કમિશનની મુદ્દત વધારાઈ

Text To Speech

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પછાત વર્ગોના પ્રતિનિધિત્વને લઈને ભુપેન્દ્ર પટેલ સરકારે નિવૃત્ત જસ્ટીસ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરી હતી. આ પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે.એસ. ઝવેરીની નિમણૂંક કરાઈ હતી. હવે રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા માટે રચાયેલા આ જસ્ટિસ કે.એસ.ઝવેરી કમિશનની 12 માર્ચ સુધી મુદ્દત વધારી આપવામાં આવી છે. આ પંચની રચના કરાઈ ત્યારે 90 દિવસમાં રિપોર્ટ આપવા સૂચન કરાયું હતું.

આ પણ વાંચો : Women’s Premier League નું શેડયૂલ જાહેર, 4 માર્ચથી શરૂ થશે ટુર્નામેન્ટ

જુલાઈ 2022માં પંચની રચના કરાઈ હતી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત જુલાઈ 2022માં ઝવેરી કમિશન સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. આ પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરોનો તેમજ તેની રાજનીતિક સ્થિતી અનુસાર આંકડા એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરી સંપૂર્ણ અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલુ છે. ઉલ્લેખનીય છે કે, આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપેલો છે.

આ પણ વાંચો : કાનપુરમાં માતા-પુત્રીના સળગવાથી મોતનો મામલો, SDM-લેખપાલ વિરુદ્ધ કેસ દાખલ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશએ CMને પત્ર લખ્યો હતો

મહત્વનું છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને ઉનાના ધારાસભ્ય પૂંજા વંશએ અગાઉ CMને પત્ર લખ્યો હતો. પૂંજા વંશે પત્રમાં જણાવ્યું હતું કે, ‘ચૂંટણીપંચે કલેક્ટરને પાઠવેલા પત્ર મુજબ 10 ટકા OBC અનામત નહીં રહે. 2021માં મહારાષ્ટ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકારે OBC અનામતના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રચી વસ્તીના આધારે માપદંડ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ 6 મહિના બાદ પણ રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી નથી કરી. ત્યાર બાદ જુલાઈ 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.

Back to top button