ગુજરાત

જામનગર મ્યુનિસિપલ કમિશનરની અમદાવાદ સ્પીપા ખાતે બદલી

Text To Speech

રાજ્યમાં આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી થવાની તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજય કુમાર ખરડીની આજરોજ અમદાવાદ સ્પીપા ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે જામનગર મ્યુનિસિસપાલ કમિશનરનો ચાર્જ હાલ જામનગરના કલેકટરને આપવામાં આવ્યો છે. વિજય કુમાર ખરાડી અગાઉ દાહોદ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

આ પણ વાંચો : ભુજમાં કરા સાથે વરસાદ, આવતીકાલ સુધી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત
IAS - Humdekhengenews

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સ્પીપા, જ્યાં તેમણે પોતાની આઇએએસ બનવા માટે જ્યાંથી તૈયારી કરતાં હતા હવે ત્યા તેઓ ફરજ બજાવશે જે તેમના માટે ગૌરવભરી ક્ષણ હશે. જામનગર મ્યુનિસિપલ કમિશનર તરીકેની તેમની કામગીરીના પણ ઘણા વખાણ લોકમુખે સાંભળવા મળ્યા હતા. કોરોનાકાળ દરમિયાન પણ તેમની કામગીરીના વખાણ થયા હતા. ગુજરાત રાજ્યમાં અનેક બીજા મોટા અધિકારીઓની બદલીની પણ તૈયારીઓ થઈ ચૂકી છે જેની થોડા સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.

Back to top button