જયપુર-મુંબઈ ટ્રેન ગોળીબારની ઘટના: શું RPF જવાન ચેતન સિંહ માનસિક અસ્વસ્થ હતો?


જયપુર-મુંબઈ ટ્રેન ગોળીબારના આરોપી RPF કોન્સ્ટેબલ ચેતન સિંહ વિશે એક નવો ખુલાસો થયો. રેલવેએ જણાવ્યું હતું કે આરોપીની નિયમિત તબીબી તપાસમાં કોઈ ગંભીર માનસિક બીમારી મળી આવી નથી.
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાર લોકોની હત્યાનો આરોપી ચેતન સિંહ માનસિક રીતે બીમાર હતો. તેના પર રેલવેએ કહ્યું કે તેણે ખાનગી સ્તરે તપાસ કરાવી હશે, જેને તેણે ગુપ્ત રાખી હતી.
ચેતનસિંહ કેવી રીતે પકડાયો?
આ ઘટના 31 જુલાઈની સવારે મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પાસે જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં બની હતી. સવારે 6 વાગ્યાની આસપાસ મીરા રોડ સ્ટેશન (મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર) પાસે ચેઈન ખેંચીને ટ્રેન રોકાઈ ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી ચેતનસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
ચેતન સિંહે કોને ગોળી મારી હતી?
ચેતન સિંહે RPFના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ટીકારામ મીણા અને અન્ય પેસેન્જરને તેના B5 કોચમાં ગોળી મારી દીધી હતી. તેણે પેન્ટ્રી કારમાં સવાર અન્ય પેસેન્જરને અને પેન્ટ્રી કારની બાજુમાં આવેલી S6 બોગીમાં સવાર અન્ય પેસેન્જરને ગોળી મારી હતી.
રેલવે પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ પાલઘરના નાલ્લાસોપોરાના રહેવાસી અબ્દુલ કાદરભાઈ મોહમ્મદ હુસૈન ભાનપુરવાલા (58) અને બિહારના મધુબનીના રહેવાસી અસગર અબ્બાસ શેખ (48) તરીકે થઈ છે. ત્રીજા મૃતકની ઓળખ સૈયદ એસ તરીકે થઈ છે.
પોલીસે શું કહ્યું?
ચેતન સિંહને 7 ઓગસ્ટ સુધી સરકારી રેલવે પોલીસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આરોપી કોન્સ્ટેબલની કસ્ટડીની માંગ કરતા પોલીસે કોર્ટને કહ્યું કે તે તપાસમાં સહકાર આપી રહ્યો નથી.