ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જયપુર: ઘરમાં ભીષણ આગને કારણે 5 લોકોના કરૂણ મૃત્યુ, આખો પરિવાર અકાળે ભરખાયો

Text To Speech

જયપુર, 21માર્ચ : રાજસ્થાન જયપુરમાં વિશ્વકર્માના એક મકાનમાં લાગેલી ભયાનક આગમાં 5 લોકોના મૃત્યુ થયા છે. આગ એટલી પ્રચંડ હતી કે અકસ્માતમાં આખો પરિવાર જીવતો બળીને ખાખ થઈ ગયો હતો. રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમએ કહ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે.

આગ લાગવાના સમાચાર વારંવાર સામે આવતાજ હોઇ છે, તેવી જ રીતે આજે જયપુરના વિશ્વકર્મા સ્થિત એક મકાનમાં ભીષણ આગ લાગવાના હૃદયદ્રાવક સમાચાર છે. આગને કારણે 5 લોકોના મૃત્યુ થયા છે. આગ એટલી પ્રચંડ હતી કે અકસ્માતમાં આખો પરિવાર જીવતો બળી ગયો હતો.

મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. દુઃખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જયપુરમાં વિશ્વકર્મા ખાતે લાગેલી ભીષણ આગને કારણે 5 નાગરિકોના અકાળે મૃત્યુના સમાચાર હૃદયદ્રાવક છે. હું સર્વશક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય.
ઘાયલોને યોગ્ય સારવારની સુવિધા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : 73 વર્ષથી થઈ રહેલી પ્રક્રિયા પર હવે શા માટે સમસ્યા: SCમાં સરકારનો જવાબ

Back to top button