ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ધાર્મીક લાગણી દુભાવવાના કેસમાં ઈટાલીયાની ફરી કરાઈ ધરપકડ , ભાવનગર પોલીસે કરી કાર્યવાહી

Text To Speech

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની ભાવનગર પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે અંગે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની ભાવનગરના જુના કેસ સંબંધે ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. જો કે આ બાદ જામીન પર ઈટાલીયાને છોડી પણ દેવામાં આવ્યો છે.

ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં ઇટાલીયાની ધરપકડ

ભાવનગર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરવામાં આવી હતી. જે અંગે જાણ મળી રહી હતી કે ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં ગોપાલ ઇટાલીયાની ધરપકડ કરવામાં આવી હતી. Ipc295 ના કેસમાં ધરપકડ બાદ જામીન પર છોડી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો; ગોપાલ ઈટાલિયાનો વધુ એક VIDEO વાયરલ, હવે હિન્દુ સંસ્કુતી અને ધર્મગુુરુનુ કર્યુ અપમાન

ઇટાલીયાએ ટ્વીટ કર્યુ

આ મુદ્દે ખુદ ગોપાલ ઈટાલીયાએ જાણકારી આપી છે.ગુજરાતની જનતાએ ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકાર કામે લાગી ગઈ છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારા દાદીનું અવસાન થયું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ બહુમતી આ કામ માટે મળી ગઈ હશે. જોકે આ મામલે ઇટાલીયા જામીન પર છૂટી ગયો છે.

Back to top button