ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષ

દેશની પ્રથમ ચૂંટણી યોજવી પંચ માટે હતો એક પડકાર, જાણો કેવી રીતે જાગૃત કરવામાં આવ્યા હતા મતદારોને

  • પ્રથમ ચૂંટણી 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 સુધી 5 મહિના સુધી ચાલી હતી
  • દેશની પ્રથમ લોકસભા ચૂંટણીમાં 489 બેઠકો માટે મતદાન થયું હતું
  • આ ચૂંટણીમાં કોંગ્રેસે 364 બેઠકો જીતીને જંગી બહુમતી હાંસલ કરી હતી

નવી દિલ્હી, 18 માર્ચ : દેશમાં 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે . સાત દાયકાથી વધુ સમયમાં દેશે 15 વડાપ્રધાન જોયા છે. 18મી લોકસભાની ચૂંટણીનું કામ 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે કરવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં પહેલી ચૂંટણી ક્યારે યોજાઈ હતી? હકીકતમાં, દેશમાં 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું હતું, પરંતુ લોકશાહી બનવા માટે સામાન્ય ચૂંટણી જરૂરી હતી. પ્રથમ ચૂંટણી લગભગ 72 વર્ષ પહેલા 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 સુધી લગભગ પાંચ મહિના સુધીના સમયગાળામાં યોજાઈ હતી.

ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી વિશ્વાસની બાબત હતી. એક નવો સ્વતંત્ર દેશ તેના શાસકોને સાર્વત્રિક મતાધિકાર હેઠળ સીધા જ ચૂંટવા જઈ રહ્યો હતો. તેને પશ્ચિમી દેશોએ જે માર્ગ અપનાવ્યો હતો તે ન લીધો. અગાઉ માત્ર કેટલાક શક્તિશાળી વર્ગોને જ મત આપવાનો અધિકાર આપવામાં આવતો હતો. પરંતુ ભારતમાં આવું ક્યારેય બન્યું નથી. 1947માં દેશ આઝાદ થયો અને બે વર્ષ બાદ ચૂંટણી પંચની રચના કરવામાં આવી.

પ્રથમ ચૂંટણી માટે તે સમયે ચૂંટણી કરાવવામાં પંચ સમક્ષ સૌથી મોટો પડકાર મતદારોમાં જાગૃતિનો હતો. લગભગ 18 કરોડ મતદારો કેવી રીતે મતદાન કરશે તેની માહિતી આપવા માટે પંચે યુદ્ધના ધોરણે જાગૃતિ અભિયાન શરૂ કર્યું. આ માટે ખાસ કરીને એક ફિલ્મ બનાવવામાં આવી હતી અને દેશભરના 3000 થી વધુ સિનેમા હોલમાં બતાવવામાં આવી હતી કે મતદાન કેવી રીતે કરવું.

સુકુમાર સેન પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા

ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના પુસ્તક ‘ઈન્ડિયાઃ આફ્ટર ગાંધી’ અનુસાર, સુકુમાર સેનને માર્ચ 1950માં મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. બીજા જ મહિને સંસદમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ પસાર થયો. સંસદમાં આ કાયદો રજૂ કરતી વખતે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એવી આશા વ્યક્ત કરી હતી કે 1951ની વસંત સુધીમાં ચૂંટણી યોજાઈ જશે. આ બાબતમાં નહેરુની ઉતાવળ સમજી શકાય તેવી હતી પરંતુ ચૂંટણી કરાવવાની જવાબદારી સંભાળનાર વ્યક્તિ માટે તે મુશ્કેલ કામ હતું.

લગભગ 18 કરોડ મતદારો હતા

ચૂંટણી માટે સુકુમાર સેને નેહરુને થોડા દિવસો રાહ જોવાનું કહ્યું હતું. કારણ કે ભારત સરકારના કોઈ અધિકારી પાસે એટલું મુશ્કેલ અને વિશાળ કાર્ય નહોતું જે સુકુમાર સેનને સોંપવામાં આવ્યું હતું. તે ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 17 કરોડ 60 લાખ હતી. જેમાંથી 85 ટકા ન તો વાંચી શકતા હતા કે ન તો લખી શકતા હતા. તેમાંથી દરેકને ઓળખવાના  હતા, તેમનું નામ લખવાનું હતું અને તેમનું રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. પરંતુ, ખરી સમસ્યા તો એ હતી કે મોટાભાગે અભણ મતદારો માટે પક્ષનું ચિન્હ, બેલેટ પેપર અને મતપેટી કેવા પ્રકારની હોવી જોઈએ.

જાગૃતિ એ એક મોટો પડકાર

તે વખતે ચૂંટણી યોજવામાં પંચ માટે સૌથી મોટો પડકાર મતદારોમાં જાગૃતિનો હતો. લગભગ 18 કરોડ મતદારો કેવી રીતે મતદાન કરશે તેની માહિતી આપવા માટે પંચે યુદ્ધના ધોરણે જાગૃતિ અભિયાન શરૂ કર્યું. આ માટે ખાસ કરીને એક ફિલ્મ બનાવવામાં આવી હતી અને દેશભરના 3000 થી વધુ સિનેમા ઘરોમાં આ ફિલ્મ બતાવવામાં આવી હતી કે મતદાન કેવી રીતે કરવું. તેમજ, અખબારો દ્વારા પણ લોકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા ઘણા કાર્યક્રમોના મધ્યમ થકી લાખો ભારતીયો સુધી આ સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. તેઓને બંધારણ, પુખ્ત મતાધિકારનો હેતુ, મતદાર યાદીની તૈયારી અને મતદાન પ્રક્રિયા વિશે જણાવવામાં આવ્યું હતું.

2,24,000 મતદાન મથકોની સ્થાપવામાં આવ્યા

2,24,000 મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી હતી અને અંતે 1952ના શરૂઆતના મહિનામાં ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, કેટલાક મુશ્કેલ અને દૂરના વિસ્તારોમાં આ કામ પહેલા હાથ ધરવું પડ્યું હતું. સુકુમાર સેનની સમસ્યાને સમજવામાં કેટલાક આંકડા આપણને મદદ કરી શકે છે. કુલ મળીને 4500 બેઠકો પર ચૂંટણી થવાની હતી. લગભગ 500 બેઠકો સંસદ માટે હતી અને બાકીની પ્રાંતીય એસેમ્બલીઓ માટે હતી. આ ચૂંટણીમાં 2,24,000 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા અને ત્યાં 20 લાખ લોખંડની મતપેટીઓ મોકલવામાં આવી હતી. આ બોક્સ બનાવવા માટે 8200 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

16,500 કારકુનોએ યાદી ટાઈપ કરી

16,500 કારકુનોને છ મહિનાના કરાર પર સ્થાપિત કરવામાં આવ્યા જેથી મતદાર યાદી વિસ્તાર મુજબ ટાઈપ કરી શકાય. બેલેટ પેપર છાપવામાં લગભગ 3,80,000 રીમ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણીની કામગીરી હાથ ધરવા માટે, 56,000 પ્રિસાઇડિંગ અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી અને તેમની મદદ માટે 2,80,000 સહાયકોની નિમણૂક કરવામાં આવી હતી. મતદાન મથકો પર હિંસા અને ગડબડ રોકવા માટે આ ચૂંટણીમાં સુરક્ષા માટે 2,24,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

ચૂંટણી-humdekhengenews

 

પહેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને જંગી બહુમતી મળી હતી. 489 બેઠકો માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસે 364 બેઠકો જીતીને જંગી બહુમતી હાંસલ કરી હતી. CPI બીજા નંબરનો સૌથી મોટો પક્ષ હતો જેને 16 બેઠકો મળી હતી. અખિલ ભારતીય જનસંઘ (ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ અવતાર) માત્ર ત્રણ બેઠકો જીતી શક્યો હતો.

આ પણ વાંચો : કેટલા પ્રકારના મતદાતા હોઇ છે અને કેટલી રીતે થાય છે મતદાન?જાણો ચૂંટણી સાથે જોડાયેલા મહત્ત્વના સમાચાર

Back to top button