અમદાવાદટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ISRO ચીફ એસ સોમનાથને કેન્સર, Aditya-L1 લૉન્ચના દિવસે જ થયું હતું નિદાન

  • Aditya-L1 ના લોન્ચિંગના દિવસે જ ખબર પડી હતી કે ઈસરો ચીફ એસ સોમનાથ કેન્સરથી પીડિત છે. જોકે આ અંગેના સમાચાર ફેલાતા ન હતા

દિલ્હી, 4 માર્ચ: ભારતના સૂર્ય મિશન Aditya-L1ના લોન્ચિંગ સમયે જ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વડા એસ સોમનાથ કેન્સર સામે લડી રહ્યા હતા. સોમનાથે એક ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે સ્કેનીંગમાં કેન્સરની જાણ થઈ હતી. ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ દરમિયાન પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. જોકે ત્યાં સુધી કંઈ સ્પષ્ટ થયું ન હતું. તેમણે કહ્યું કે આદિત્ય મિશનના દિવસે તેમને આ રોગ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ તેમની સાથે તેમનો પરિવાર પણ ચિંતામાં હતો.

તેમના તમામ સાથી વૈજ્ઞાનિકો પણ આ સમાચારથી દુઃખી થયા હતા. પરંતુ તેમણે આ પડકારજનક વાતાવરણમાં પોતાની જાતને કાબૂમાં રાખી હતી. પરિવાર અને ઈસરોના વૈજ્ઞાનિકોની સંભાળ લીધી. લોન્ચિંગ પછી તેમણે તેમના પેટનું સ્કેન કરાવ્યું હતું. ત્યાર બાદ કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ તેઓ વધુ તપાસ અને સારવાર માટે તેઓ ચેન્નાઈ ગયા હતા. એવું જાણવા મળ્યું છે કે આ રોગ તેમને આનુવંશિક રીતે વારસામાં મળ્યો છે. તેમને પેટનું કેન્સર થયું છે.

થોડા દિવસોમાં કેન્સરની પુષ્ટિ થઈ. આ પછી સોમનાથની સર્જરી કરવામાં આવી. પછી તેની કીમોથેરાપી ચાલુ રાખી છે. સોમનાથે જણાવ્યું જ્યારે કેન્સરની જાણ થઈ ત્યારે આખો પરિવાર આઘાતમાં હતો, પણ હવે એવું કંઈ નથી. સારવાર કરવામાં આવી રહ્યા છે અને તેઓ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે. આ ઉપરાંત તેઓ દવાઓ લઈ રહ્યા છે. આ દરમિયાન તેમનો પરિવાર અને મિત્રો પણ તેમનો સાથ આપી રહ્યા છે.

સમય લાગશે પણ હું આ યુદ્ધ જીતીશ: એસ સોમનાથ

સોમનાથે કહ્યું કે તે જાણે છે કે તેમની સારવારમાં ઘણો સમય લાગશે, તે એક લાંબી પ્રક્રિયા છે. પરંતુ હું આ યુદ્ધમાં લડીશ. ઘણી રિકવરી થઈ છે. હું માત્ર ચાર દિવસ જ હોસ્પિટલમાં હતો. પછી પોતાનું કામ પૂરું કર્યું છે. કોઈ પણ જાતની પીડા વિના, મેં પાંચમા દિવસથી ઈસરોમાં કામ કરવાનું શરૂ કર્યું.

સોમનાથે કહ્યું કે હું સતત મેડિકલ ચેકઅપ અને સ્કેન કરાવું છું. પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું. અમારા કામ અને ઈસરોના મિશન અને પ્રક્ષેપણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત છે. ઈસરોના ભવિષ્યના તમામ મિશન પૂર્ણ કર્યા પછી જ હું શ્વાશ છોડીશ.

આ પણ વાંચો: મેંગલોરમાં શાળા કેમ્પસમાં 3 વિદ્યાર્થિનીઓ પર એસિડ એટેક, હુમલાખોર ઝડપાયો

Back to top button