ગુજરાતટોપ ન્યૂઝ

ઈસ્કોન બ્રિજ અકસ્માત: પોલીસે દાખલ કરી FIR, પિતા-પુત્રની ધરપકડ

Text To Speech

અમદાવાદના ઈસ્કોન બ્રિજ ગઈ કાલે મોડી રાત્રે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. સ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને જોવા જતા લોકોને એક જેગુઆર કારે અકસ્માત સર્જતા 9 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અને આ કેસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે પોલીસે આ કેસમાં અકસ્માત સર્જનાર તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી લીધી છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં પિતા-પુત્રની ધરપકડ

ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા ગમખ્વાર અકસ્માત મામલે જેગુઆર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. અને અકસ્માત સર્જનાર તથ્યની પૂછપરછ કરાઈ છે. તથ્યના એકસ રે, સીટી સ્કેન સહિતના રિપોર્ટ નોર્મલ છે.

પ્રજ્ઞેશ પટેલે આપી હતી ધમકી

આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જેમાં તેની પર આરોપ છે કે તને અકસ્માતમાં ભોગ બનનારના પરિવારને અને મિત્રોને ધમકી આપી હતી. પ્રજ્ઞેશ પટેલ પર લોકોને મારી નાખવાની ધમકી આપતા ધરપકડ કરવામાં આવી છે.

આ કલમ હેઠળ નોંધાયો ગુનો

પોલીસ દ્વારા ફરિયાદમાં જ પોલીસે કલમોનો ઉમેરો કર્યો છે. પોલીસે GJ-01-WK-00930093ના ફોર વ્હીલર ચાલક તથા તેના પિતા પ્રજ્ઞેશ ભાઈ પટેલ વિરુદ્ધ આઈપીસીની કલમ.279,337,338,304,504,506(2),114 તથા એમ.વી.એક્ટ-177,184,134( B) મુજબ ફરિયાદ નોંધાઈ છે.

FSLની તપાસમાં થયો ખુલાસો

આ ઉપરાંત FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યુ છે કે, તથ્યની ગાડી 160 કિમી પ્રતિ કલાકની પૂરપાટ ઝડપે દોડી રહી હતી.

પોલીસે પોતાની એફઆઈઆરમાં શું નોંધ્યું છે

આ પણ વાંચો : અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતના મૃત્યુઆંકમાં વધારો, વધુ એક પોલીસકર્મીનું મોત

Back to top button