ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના માટે દાન આપ્યું ? જાણો- અફવા છે કે સત્ય !

Text To Speech

ઓડિશામાં બનેલી ટ્રેન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. જેને લઈ બોલીવુડ અને ક્રિકેટ જગતના સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું છે. આ બધા વચ્ચે વિરાટ કોહલીને લઈ એક અફવા ફેલાઈ છે.

ખરેખર વિરાટ કોહલીએ આપ્યું 30 કરોડનું દાન ?

વાત જાણે એમ છે કે, વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના રિલીફ ફંડમાં 30 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, તેવી વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. સોશિયલ મીડિયામાં વિરાટના ફોટો સાથે તેની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે, પરંતુ, જ્યારે તપાસ કરવામાં આવી તો હકીકત કંઈક અલગ જ નીકળી.

કોહલીએ દાન આપ્યું તે વાત અફવા

આ બાબતે તપાસ કરતા ખબર પડી કે, વિરાટ કોહલીએ કોઈપણ પ્રકારનું દાન આપ્યું નથી. જેથી, આ વાતમાં કોઈ સત્ય નથી આ માત્ર એક અફવા છે.

Back to top button