ટ્રેન્ડિંગસ્પોર્ટસ

શું વિશ્વ કપ બાદ આ ખેલાડી લઈ રહ્યો છે સંન્યાસ ? પોસ્ટ મૂકી આપ્યા સંકેત

ઓસ્ટ્રેલિયામાં રમાયેલ T20 વર્લ્ડ કપમાં મળેલી હારને ભારત કદાચ ક્યારેય નહિં ભૂલી શકે, આ હાર બાદ ટીમ પર અને ટીમનાં સિલેક્ટરો પર ઘણાં સવાલો પણ ઊભા થયાં હતા. ઘણાં લોકોનુ એમ માનવું હતું કે ટીમમાં સિનિયર ખેલાડીઓના બદલે યુવા ખેલાડીઓને તક આપવી જોઈતી હતી, તેવામાં ટીમમાં દિનેશ કાર્તિક જેવા ખેલાડી પર પણ સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો : ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં કરાયા આ ફેરફાર 

દિનેશ કાર્તિક માટે આ વિશ્વ કપ સારો નહોતો રહ્યો. કાર્તિક ટૂર્નામેન્ટમાં હાઈ-સ્ટેક્સ ટૂર્નામેન્ટમાં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે, દિનેશ કાર્તિક, જેને હાલમાં પસંદગીકારો દ્વારા આરામ આપવામાં આવી રહ્યો છે, તેણે એક રહસ્યમય પોસ્ટ મૂકી છે, જેનાથી તેની નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ છે.

Dinesh kartik - Hum Dekhenge News
Dinesh kartik Post

કાર્તિકે મૂકી રહસ્યમય પોસ્ટ

આ વર્ષે ભારતીય ટીમમાં શાનદાર વાપસી કરનાર વિકેટકીપર-બેટરને લાંબા સમય બાદ T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ કાર્તિક હવે નિવૃત્તિ જાહેર કરી શકે છે. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી લખ્યુ હતુ કે,  “ભારત માટે T20 વર્લ્ડ કપ રમવાના ધ્યેય તરફ સખત મહેનત કરી અને આમ કરવું ગર્વની લાગણી હતી. અમે અંતિમ લક્ષ્યથી પાછા પડ્યા હતા, પરંતુ તે દરમ્યાન મારું જીવન ઘણી બધી યાદોથી ભરાઈ ગયું. મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, મિત્રો અને ચાહકોનાં અમર સમર્થન માટે આભાર,” તેણે #DreamsDoComeTrue જેવા હેશટેગ સાથે તેની પોસ્ટ સમાપ્ત કરી હતી.

કાર્તિક દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં ટુર્નામેન્ટની ક્ષણોના મોન્ટેજ પણ દર્શાવવામાં આવ્યા છે. ક્લિપમાં, કાર્તિક તેના પરિવાર અને તેના બાળકો સાથે ફરતો જોઈ શકાય છે. વિડિયોમાં તે હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિન સાથે કેટલીક હળવાશની પળો માણતો પણ જોવા મળ્યો હતો.

Dinesh kartik - Hum Dekhenge News
Dinesh kartik Instagram Post

ચાહકોએ કરી ટિપ્પણી 

કાર્તિકની આ પોસ્ટ બાદ ઘણા વપરાશકર્તાઓ અનુમાન લગાવતા હતા કે શું વિકેટકીપર-બેટરે બિનસત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે. એક ચાહકે લખ્યું, “તમારી નિવૃત્તિની જાહેરાત કરશો નહીં, અમે તૈયાર નથી,” બીજાએ ટિપ્પણી કરી, “પ્લીઝ ડીકે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે કોઈપણ ફોર્મેટમાંથી નિવૃત્ત ન થાઓ, વધુ મજબૂત રીતે ફરી પાછા આવો”.

Dinesh kartik - Hum Dekhenge News
Dinesh kartik in T20 WC

 વર્લ્ડ કપમાં માત્ર 14 રન જ બનાવી શક્યો છે કાર્તિક

ગત સિઝનની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફિનિશર તરીકેની ભૂમિકાને કારણે T20 વર્લ્ડ કપની ટીમ માટે દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા માટે, કાર્તિકને વિકેટકીપરની જગ્યા માટે રિષભ પંત સાથે સ્પર્ધા પણ કરવી પડી હતી. વર્લ્ડ કપમાં કાર્તિક મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે જે ચાર મેચ રમી તેમાં તે માત્ર 14 રન જ બનાવી શક્યો.

Back to top button