IPL 2024: પ્રથમ મેચમાં હાર બાદ મુંબઈને મોટો ફટકો, SRH સામેની મેચમાંથી સૂર્યકુમાર બહાર


26 માર્ચ, 2024: મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024માં તેમના અભિયાનની શરૂઆત 24 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામેની મેચથી કરી હતી. સીઝનની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈએ જીત મેળવ્યા બાદ મેચ હારી હતી. 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તેની બીજી મેચ 27 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે, પરંતુ તે પહેલા જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. NCA એ મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય ખેલાડી અને વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને બીજી ફિટનેસ ટેસ્ટ પછી પણ ક્લીનચીટ આપી નથી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ચૂકી ગયા બાદ સૂર્યકુમાર યાદવ હૈદરાબાદ સામેની મેચમાં પણ નહીં રમે.
સૂર્યકુમાર યાદવ SRH સામેની મેચમાં નહીં રમે
બીજી ફિટનેસ ટેસ્ટ બાદ પણ સૂર્યકુમાર યાદવને રમવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ક્લીન ચિટ મળી નથી. થોડા દિવસો પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે યાદવનો બીજો ફિટનેસ ટેસ્ટ 21 માર્ચે લેવામાં આવ્યો હતો. તેની રિહેબ પ્રક્રિયા લગભગ 2 અઠવાડિયા પહેલા શરૂ થઈ હતી, પરંતુ બે વખત ફિટનેસ ટેસ્ટ પ્રક્રિયામાંથી પસાર થયા પછી પણ તેને રમવાની મંજૂરી આપવામાં આવી નથી. T20 વર્લ્ડ કપ પણ દૂર નથી, તેથી BCCI પણ યાદવની ફિટનેસને લઈને કોઈ ઉતાવળિયો નિર્ણય લેવા માંગશે નહીં.
સૂર્યકુમાર યાદવ થોડા મહિના પહેલા દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે યાદવ સારવાર માટે જર્મની ગયો હતો અને જાન્યુઆરી મહિનામાં તેની સર્જરી કરાવી હતી. એવો અંદાજ હતો કે તેને આ ઈજામાંથી સાજા થવામાં એક મહિનાનો સમય લાગી શકે છે, પરંતુ હવે તેને મેદાનથી દૂર રહેવામાં ઘણો સમય વીતી ગયો છે.