વર્લ્ડ

મેહુલ ચોકસીને આંતરરાષ્ટ્રીય ઇન્ટરપોલે આપી મોટી રાહત, જાણો શું ?

Text To Speech

દેશના સૌથી મોટા કૌભાંડી તરીકે સામે આવેલા મેહુલ ચોક્સીને દુનિયાના દેશોએ રાહત આપી છે. પંજાબ નેશનલ બેંકમાં રૂ. 13,000 કરોડના કૌભાંડ મામલે ફરાર હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની ‘રેડ કોર્નર નોટિસ’માંથી હટાવી દેવામાં આવ્યું છે. ફ્રાન્સના લિયોન શહેરમાં ઇન્ટરપોલ હેડક્વાર્ટરમાં ચોક્સીએ કરેલી અરજીના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે.

આ તરફ સમગ્ર માલે બીજી તરફ સીબીઆઈએ આ ઘટનાક્રમ પર મૌન સેવી લીધું છે. ઇન્ટરપોલે 2018માં ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી. તે ભારતમાંથી ફરાર થયાના લગભગ 10 મહિના બાદ આ નોટિસ જારી કરવામાં આવી હતી. તે જ વર્ષે, ચોક્સીએ એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા લીધી છે. ‘રેડ કોર્નર નોટિસ’, 195 સભ્યોની રાષ્ટ્ર-રાજ્ય સંસ્થા ઇન્ટરપોલ દ્વારા વિશ્વભરની કાયદા અમલીકરણ એજન્સીઓને પ્રત્યાર્પણ, શરણાગતિ અથવા સમાન કાનૂની કાર્યવાહી માટે આરોપી વ્યક્તિને શોધવા અને અટકાયત કરવા માટે જારી કરાયેલ ચેતવણી ઉચ્ચતમ સ્તર છે.

mehul-choksi Red Corner Notice 01

ચોક્સીએ CBIની રેડ નોટિસને પડકારી

છેલ્લા ઘણાં સમયથી ચોક્સીએ રેડ કોર્નર નોટિસ જારી કરવાની સીબીઆઈની અરજીને પડકારી હતી અને આ કેસને રાજકીય ષડયંત્રનું પરિણામ ગણાવ્યો હતો. તેની અરજીમાં ચોક્સીએ ભારતમાં જેલની સ્થિતિ, તેની અંગત સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતા. રિપોર્ટ અનુસાર ચોક્સીની અરજી બાદ મામલો પાંચ સભ્યોની ઇન્ટરપોલ કમિટીની કોર્ટમાં ગયો. આ સમિતિને કમિશન ફોર કંટ્રોલ ફાઇલ્સ કહેવામાં આવે છે. કમિટીએ સુનાવણી બાદ રેડ કોર્નર નોટિસ રદ કરી છે.

આ પણ વાંચો : માનવતાને બચાવવાની આપણી પાસે અંતિમ તક, UN પ્રમુખે ક્લાઈમેટ ચેન્જ અંગે ચિંતા વ્યક્ત કરી

ચોક્સી પર નીરવ મોદી સાથે કૌભાંડનો આરોપ

નોંધનીય છેકે મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર મુંબઈમાં પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ શાખાના અધિકારીઓ સાથે મળીને 14 હજાર કરોડથી વધુના કૌભાંડનો આરોપ છે. 2011 અને 2018 ની વચ્ચે, નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ (LoU) દ્વારા રકમ વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. સીબીઆઈએ આ કૌભાંડમાં ચોક્સી અને નીરવ મોદી બંને વિરુદ્ધ અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરી હતી.

Back to top button