ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ શહેરના 116 પીએસઆઈની આંતરિક બદલી

Text To Speech

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા આજે મંગળવારે સમી સાંજે શહેરના 116 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ઘાણવો કાઢ્યો છે. લગભગ તમામ પીએસઆઈની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ આજે શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા પોલીસ વિભાગના 116 પીએસઆઇની બદલીના હુકમ સમી સાંજે બહાર પાડવામાં આવ્યા છે. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કમિશ્નર દ્વારા વહીવટી સરળતા ખાતર આ બદલીના હુકમ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

પીએસઆઇની બદલીનું લીસ્ટ, જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા ?

Back to top button