ટોપ ન્યૂઝબિઝનેસ

ઓક્ટોબરમાં ફુગાવો ઘટ્યો : ખાદ્યપદાર્થોનો ભાવ ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો

Text To Speech

ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડાને કારણે ઓક્ટોબરમાં છૂટક ફુગાવો ઘટ્યો હતો અને 4.87 ટકાની ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. સોમવારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત છૂટક ફુગાવો સપ્ટેમ્બરમાં 5.02 ટકાના ત્રણ મહિનાના નીચા સ્તરે હતો.

2023-24માં છૂટક ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ

અગાઉ જૂનમાં મોંઘવારી દર 4.87 ટકા નોંધાયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ તેની ઓક્ટોબરની બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં છૂટક ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જે 2022-23માં 6.7 ટકા કરતા ઓછો છે. સરકારે RBIને રિટેલ ફુગાવાનો દર બે ટકાના તફાવત સાથે ચાર ટકા પર રાખવાની જવાબદારી સોંપી છે. મધ્યસ્થ બેંક દ્વિ-માસિક નાણાકીય નીતિને ધ્યાનમાં લેતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને જુએ છે.

ચાલુ વર્ષે અનાજ-કઠોળ અને શાકભાજીના ભાવો ઉંચા રહ્યા

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે મોંઘવારીના કારણે સામાન્ય માણસોની કમર તૂટી ગઈ છે. દરેક વસ્તુઓના ભાવોમાં થતા વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના માણસોનું રોજીંદુ જીવન ખોરવાઈ ગયું હતું. ચાલુ વર્ષે અનાજ-કઠોળ અને શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. દરેક વસ્તુઓમાં ભાવો કિલોએ 100થી વધતા ખૂબ જ હાલાકી પડી હતી. ત્યારે આવનારા દિવસોમાં ભાવોમાં ઘટાડો થાય તો સામાન્ય માનવીને રાહત મળે તેમ છે.

Back to top button