ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમા ઘૂસણખોરીના પ્રયત્ન નિષ્ફળ, એક આંતકી ઢેર

17 નવેમ્બરે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં સુરક્ષા દળોમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદી સાથે અથડામણ થઈ હતી. જવાનો દ્વારા ઘૂસણખોરીને નિષ્ફળ બનાવાયી હતી. તે જ સમયે, સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ બે દિવસ પછી મળી આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. તેણે શનિવારે નૌશેરા સેક્ટરમાં સરહદ પારથી ઘૂસણખોરી કરી રહેલા એક આતંકવાદીને ઠાર માર્યો છે. મળતી માહિતી મુજબ, 17 નવેમ્બરની મોડી રાત્રે લગભગ 11 વાગ્યે આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સરહદમાં પ્રવેશતાની સાથે જ જવાનોએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી, પરંતુ તેઓ આત્મસમર્પણ કરવાને બદલે પાછા ભાગવા લાગ્યા. ત્યારબાદ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો. આતંકવાદીનો મૃતદેહ 19 નવેમ્બરે મળ્યો હતો. તેની પાસેથી દારૂગોળો પણ મળી આવ્યો છે. સેના તરફથી એન્કાઉન્ટર કરવામાં આવેલ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો :  દુનિયાના ફૂટબોલ પ્રેમીઓની આતુરતાનો અંત ફિફા વર્લ્ડકપની આજથી શરૂઆત

25 દિવસમાં 5 ઘુસણખોરોના મોત

3 નવેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના દિગવાર સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સેનાએ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવતા ત્રણ પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. જોકે આ દરમિયાન બે આતંકીઓ નાસી છૂટ્યા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમા ઘૂસણખોરીના પ્રયત્ન નિષ્ફળ, એક આંતકી ઢેર - humdekhengenews

આ પહેલા 31 ઓક્ટોબરે સેનાએ કુપવાડામાં ઘૂસણખોરીના બે પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા, જ્યારે બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પહેલા 26 ઓક્ટોબરે કરનાહ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક પાકિસ્તાની આતંકવાદી પણ માર્યો ગયો હતો. જ્યારે એક આતંકી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ઘાટીમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા

બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસે શનિવારે શ્રીનગર, અનંતનાગ અને કુલગામમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. વાસ્તવમાં પત્રકારો પર હુમલાની ધમકીના મામલામાં પોલીસે મોટા પાયે આ શોધખોળ હાથ ધરી હતી.

તરનતારનમાં પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 17 નવેમ્બરે મોડી રાત્રે પંજાબના તરનતારનમાં સરહદ પારથી ડ્રોને ઘુસણખોરી કરી હતી. આ પછી, BSF જવાનોએ ફાયરિંગ કરીને ડ્રોનને પાકિસ્તાનની સરહદ તરફ પરત મોકલી દીધું હતું.

Back to top button