ઉત્તર ગુજરાતગુજરાત

“ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની” : પ્રથમ દિવસની પ્રથમ શાળા પ્રસંગે ઉદ્યોગ મંત્રી હાજર રહ્યા, જાણો શું કહ્યું?

Text To Speech

સિદ્ધપુર  26 જૂન 2024 :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારબીજની ફળશ્રુતિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ “૨૧ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪” અંતર્ગત પાટણના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામે પ્રાથમિક શાળામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત હાજર રહ્યા હતાં.

આ પ્રસંગ બાળકોની શૈક્ષણિક યાત્રાને યાદગાર બનાવશે

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગને લઈને જણાવ્યું કે ગણેશવંદના, પ્રેરણાદાયી “મનુષ્ય તું બડા મહાન હૈ” ગીતથી થયેલ મીઠો આવકાર, વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત કાર્યક્રમ, લર્નિંગ કોર્નર, વૃક્ષારોપણ, સ્માર્ટ ક્લાસરુમ અને ગ્રામજનોના ઉત્સાહે બાળકોની શૈક્ષણિક યાત્રાને યાદગાર કાયમ માટે બનાવશે. આ શાળામા હાલ ૪૧૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજે આંગણવાડીમાં ૦૮, બાલવાટિકામાં ૬૮, ધોરણ-૧ માં ૩૩, ધોરણ-૯ માં ૪૯ એમ કુલ ૧૫૮ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી ૮૬ કુમાર અને ૭૨ કન્યાઓ છે.

ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી

આ પ્રસંગે શંભુભાઈ દેસાઈ, શાંતાબેન પ્રજાપતિ, વિષ્ણુભાઈ પટેલ, દિલીપસિંહ ઠાકોર, જયેશભાઈ પંડ્યા, વિક્રમસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ, માનજીજી રાજપૂત, જિજ્ઞાબેન, મહેન્દ્રસિંહ, પ્રકાશભાઈ સહિત આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. સાથે ઉદ્યોગ મંત્રીએ ગામમાં ૧૦૦% શિક્ષણની નેમ સાથે ઉજ્જવળ ભવિષ્યની સૌને શુભકામનાઓ પાઠવી હતી

આ પણ વાંચો : અમદાવાદઃ 3 વર્ષમાં 10,000 કરોડની કિંમતનું 500 કિલો ડ્રગ્સ પકડાયું, ‘ડ્રગ્સ વિરોધી અભિયાન’ અંગે શું કહ્યું ગૃહમંત્રીએ જાણો!

Back to top button