અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલમધ્ય ગુજરાત

ભારતીય રેલવે દ્વારા દોડાવાશે ગાંધીગ્રામ-ઓખા વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન

ગાંધીગ્રામ-ઓખા 14 માર્ચ 2024 : ભારતમાં તહેવારોનો અનોખો ઉમંગ અને ઉત્સાહ જોવા મળતો હોય છે. તહેવારોમાં ઘણીવાર રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવતી હોય છે. તે અનુસંધાને ભારતીય રેલવે દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં લઈને ગાંધીગ્રામથી ઓખા વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદના રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરીને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને અમદાવાદ-ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (09435/09436)નું ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીગ્રામ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે. આ ટ્રેનના રૂટ, સ્ટોપેજ અને સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે આ સ્પેશિયલ ટ્રેન બદલાયેલા રૂટ ગાંધીગ્રામ-બોટાદ-સુરેન્દ્રનગર જંકશન-રાજકોટ-દ્વારકા-ઓખા થઈને દોડશે.

ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા હોળી સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા માટે ભારતીય રેલવે દ્વારા હોળી માટે ગાંધીગ્રામથી 20.20 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 9.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન ઓખાથી 23.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.50 વાગ્યે ગાંધીગ્રામ પરત પહોંચશે. જયારે આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, સુરેન્દ્રનગર જંકશન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.

એપ્રિલ મહિનાથી સાપ્તાહિક ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો 

આ હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ આ ટ્રેનને માર્ચ મહિનામાં દ્વિ-સાપ્તાહિક અને ત્યારબાદ એપ્રિલ મહિનાથી સાપ્તાહિક ચલાવવાનો નિર્ણય લીધો છે.જેમાં ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ માર્ચ મહિનામાં 16મી માર્ચ, 18મી માર્ચ, 23મી માર્ચ, 25મી માર્ચ અને 30મી માર્ચે દોડશે અને ત્યારબાદ 6 એપ્રિલ, 2024થી 29 જૂન, 2024 સુધી ગાંધીગ્રામ સ્ટેશનથી દર શનિવારે દોડશે. . એ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ માર્ચ મહિનામાં 17 માર્ચ, 19 માર્ચ, 24 માર્ચ, 26 માર્ચ અને 31 માર્ચે દોડશે અને ત્યારબાદ 7 એપ્રિલ, 2024 થી 30 જૂન, 2024સુધી દર રવિવારે ઓખા સ્ટેશનથી દોડશે. ટ્રેન નંબર 09435 અને 09436 માટે ટિકિટ બુકિંગ 15.03.2024 (શુક્રવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ પણ વાંચો :  રામ ભક્તોને રેલવેની ભેટ: દેશના ખૂણે-ખૂણેથી અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડશે, જૂઓ લિસ્ટ

Back to top button