ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતીય પાયલોટ ગોપીચંદ આજે અંતરિક્ષમાં જશે, 40 વર્ષ પછી ઇતિહાસનું પુનરાવર્તન

  • ભારતીય મૂળના પાયલોટ ગોપીચંદ થોટાકુરા 19મી મેના રોજ ઈતિહાસ રચવા જઈ રહ્યા છે
  • ગોપીચંદને બ્લુ ઓરિજિન ન્યૂ શેપર્ડ-25 (NS-25) મિશન માટે ક્રૂ તરીકે પસંદ કરવામાં આવ્યા
  • અવકાશમાં ઉડાન ભરીને ઇતિહાસ રચનાર બીજા ભારતીય હશે

નવી દિલ્હી, 19 મે: ભારતીય મૂળના પાયલોટ ગોપીચંદ થોટાકુરા 19મી મેના રોજ ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તે જેફ બેઝોસની માલિકીની કંપની બ્લુ ઓરિજિનની કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટનો ભાગ છે, જે આજે સાંજે ઉપડશે. બ્રહ્માંડની આ સફરમાં ગોપીચંદને પાયલોટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અવકાશમાં ઉડાન ભરીને આવું કરનાર તે બીજા ભારતીય હશે. આ પહેલા 1984માં રાકેશ શર્માએ આ સિદ્ધિ મેળવી હતી.

અમેરિકામાં રહેતા ગોપીચંદને બ્લુ ઓરિજિન ન્યૂ શેપર્ડ-25 (NS-25) મિશન માટે ક્રૂ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમના સિવાય ક્રૂમાં વિશ્વભરના અન્ય પાંચ અવકાશયાત્રીઓ છે. આ મિશન ન્યૂ શેપર્ડ પ્રોગ્રામ માટે માનવસહિત સાતમુ અને ઈતિહાસમાં 25મું મિશન છે.

આ મિશનની જાહેરાત ગત 21 એપ્રિલે થઈ હતી, તેના સમાચાર વાંચો અહીં : અંતરિક્ષ પ્રવાસ માટે પસંદ થયેલા ભારતીય મૂળના ગોપી થોટકુરા કોણ છે?

વિમાન ક્યારે ટેક ઓફ કરશે?

લોન્ચની 40 મિનિટ પહેલા બ્લુ ઓરિજિનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ થશે. ટેક ઓફ સાઈટ અમેરિકાના વેસ્ટ ટેક્સાસ શહેરમાં રાખવામાં આવી છે.

એક ભારતીય તરીકે ગોપીચંદની યાત્રાનું ઘણું મહત્વ છે. કારણ કે એપ્રિલ 1984માં રશિયન સોયુઝ ટી-11 અવકાશયાનમાં રાકેશ શર્માની ઐતિહાસિક યાત્રા બાદ તેઓ અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. ગોપીચંદ 31 લોકોની સ્પેશિયલ ટીમનો ભાગ છે જેમને કર્મન રેખા પાર કરવાની છે. આ રેખા પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચેની સીમા છે.

કોણ છે ગોપીચંદ થોટાકુરા?

આંધ્રપ્રદેશના વિજયવાડામાં જન્મેલા ગોપીચંદ 30 વર્ષના છે. તે એક ઉદ્યોગસાહસિક અને કુશળ પાયલોટ છે. બ્લુ ઓરિજિન વેબસાઈટ અનુસાર, ગોપીચંદ એક પાઈલટ અને એવિએટર છે. જેમણે રસ્તા પર વાહન ચલાવતા પહેલા જ પ્લેન ઉડાવાનું શરૂ કરી દીધું હતું. કોમર્શિયલ જેટ ઉડાવવા ઉપરાંત, તેમણે બુશ, એરોબેટિક અને સી પ્લેન તેમજ ગ્લાઈડર પણ ઉડાવ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઈલટ તરીકે પણ સેવા આપી છે.

તેમની ઉડ્ડયન સિદ્ધિઓ ઉપરાંત, ગોપીચંદ, જેમણે એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીમાંથી સ્નાતક પૂર્ણ કર્યું છે, તેઓ મુસાફરીના શોખીન છે. તેણે કિલીમંજારો પર્વત પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું છે.

આ પણ વાંચો:  PM મોદીની રેલીમાં સિંગાપોરના હાઈ કમિશનર, કેસરી ગમછા સાથે પોસ્ટ કરી તસવીર

Back to top button