ટ્રેન્ડિંગનેશનલ

ઈઝરાયેલના હુમલાથી તબાહ થયેલા લેબનોનના નાગરિકો માટે ભારતે મોકલી રાહત સામગ્રી

Text To Speech

નવી દિલ્હી, 18 ઓક્ટોબર: ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં સામાન્ય લેબનીઝ નાગરિકો પણ પરેશાન થઈ રહ્યા છે. હજારો લેબનીઝ નાગરિકો બેઘર તેમજ નિરાધાર બની ગયા છે. તેમને દવા અને ખોરાક તેમજ કપડા જેવી રાહત સામગ્રીની અત્યંત જરૂર છે. તેથી, યુદ્ધની આગમાં સળગી રહેલા વિશ્વમાં માનવતાના સૌથી મોટા પૂજારી ભારતે ઉદારતાથી લેબનોનને રાહત સામગ્રી મોકલી છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે લેબનોન માટે 33 ટનથી વધુ રાહત સામગ્રી બેરૂત મોકલી છે.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે કુલ 33 ટન તબીબી પુરવઠો લેબનોન મોકલવામાં આવી રહ્યો છે. જેમાં પ્રથમ કન્સાઈનમેન્ટ તરીકે 11 ટન મેડિકલ સપ્લાય મોકલવામાં આવ્યો હતો. લેબનોનના નાગરિકોને ભારત તરફથી આ માનવતાવાદી સહાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર ભારતે લેબનોનના નિર્દોષ નાગરિકોની આજીવિકા માટે અને આ દુઃખમાં તેમને હિંમત આપવા માટે આ મદદ મોકલી છે.

રાહત સામગ્રીમાં દવાઓનો સૌથી મોટો માલ
ઇઝરાયેલના હુમલાને કારણે લેબનોનમાં મોટી સંખ્યામાં નાગરિકો ઘાયલ અને બીમાર પણ થઇ રહ્યા છે. તેથી, આ સમયે તેમના માટે તબીબી પુરવઠો સૌથી મોટી જરૂરિયાત હતી. આથી, ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રીમાં કાર્ડિયોવેસ્ક્યુલર દવાઓ, NSAIDs (નોન-સ્ટીરોઈડલ એન્ટિ-ઈન્ફ્લેમેટરી ડ્રગ્સ), બળતરા વિરોધી એજન્ટો, એન્ટિબાયોટિક્સ અને એનેસ્થેટિક્સ સહિત ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : VIDEO/ SP MLAની દાદાગીરી! SDMને ધક્કો મારીને કારમાં બેસાડ્યા

Back to top button